કોરોના વાયરસનો પ્રકોપ દેશમાં વધી રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 2300થી વધુ લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે તો 56 લોકોના કોરોનાને કારણે મોત નિપજ્યા છે. ત્યારે હવે સાઇએસએફના જવાનો પણ કોરોનાના કહેરથી બચી શક્યા નથી.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસે લીધો ભરડો
એરપોર્ટ પર ફરજ બજાવતા 11 જવાનો કોરોનાગ્રસ્ત
મુંબઇ એરપોર્ટ પર ફરજ બજાવી રહેલા 11 જવાનોનો કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આ 11 જવાનો પૈકી 4 જવાનોનો રિપોર્ટ ગુરૂવારે પોઝિટિવ આવ્યો હતો ત્યારે અન્ય એકનો રિપોર્ટ આજે આવ્યો છે.
સેનાને કર્નલ રેંકના ડોક્ટર અને JCO ને પણ લાગ્યો હતો કોરોનાનો ચેપ
11 CISF jawans posted at Mumbai airport tested #COVID19 positive. Total 142 were under quarantine since last few days. Out of which 4 were tested positive yesterday and others were tested positive today: CISF pic.twitter.com/EByO2I5Xae
થોડા દિવસો પહેલા જ સેનામાં બે નવા કોરોના વાયરસ ચેપના કેસોની પુષ્ટિ થઈ છે. જેમાં કોલકાતામાં કર્નલ રેન્કના સૈન્ય ડોકટરો અને દહેરાદૂનમાં જુનિયર કમિશન અધિકારી (JCO)નો સમાવેશ થાય છે. આ સાથે સેનામાં કોરોના ચેપના કેસો હવે વધીને ત્રણ થઈ ગયા છે. આ અગાઉ લેહમાં રજા પર ઘરે ગયેલા સેનાના જવાનને પણ ચેપ હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.
દેશમાં કોરોનાના કુલ 2547 કેસ
દેશમાં છેલ્લા 24 કલાકમાં એક દિવસના સૌથી વધારે કેસ નોંધાયા દેશમાં છેલ્લા 24 કલાકમાં 478 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા દેશમાં 2547 કોરોના પોઝિટિવ કેસ, 62 લોકોના મોત દેશમાં 162 કોરોનાના દર્દીઓ સાજા થયા, 2322ની સારવાર ચાલી રહી છે ભારતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે અને દર્દીઓની સંખ્યા વધી રહી છે
કોરોનાનો દર છઠ્ઠો દર્દી મહારાષ્ટ્રનો
મહારાષ્ટ્ર પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટે કોરોના વાયરસના 31 માર્ચ પહેલાના કેટલાક આંકડાનું તારણ કાઢ્યુ છે. જેમાં તેઓ જણાવે છે કે કેવી રીતે અલગ અલગ ઉંમરના વર્ગના લોકો આ વાયરસનો શિકાર બની રહ્યા છે.
મહારાષ્ટ્રમાં 30 માર્ચ સુધી કુલ દર્દી આવ્યા હતા. તેમાંથી 21થી 30 વર્ષના 46 દર્દી, 31થી 40 વર્ષના 47 દર્દી, 41થી 50 વર્ષના 48, 51થી 60 વર્ષના 31 દર્દી, 61થી 75 વર્ષના 25 તો 1થી 10 વર્ષના 7 દર્દીઓ હતા. જેનાથી એ સ્પષ્ટ થયું છે કે મહારાષ્ટ્રમાં બાળકોથી લઈને વૃદ્ધ સુધીના તમામ ઉંમરના લોકો તેનો ભોગ બન્યા છે.
મુંબઇના ઘારાવીમાં કોરોના વાયરસનો એક કેસ
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓને બુધવારે સાંજે મુંબઇના ઘારાવીમાં કોરોના વાયરસથી સંક્રમિત એક શંકાસ્પદ દર્દીની માહિતી મળી હતી. આ દર્દીને લેવા માટે પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગની ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.
ધારાવીના જે વિસ્તારમાં આ દર્દી મળ્યો હતો ત્યાં હજારોની સંખ્યામાં ઝૂપડપટ્ટીઓ છે. એવામાં આ વિસ્તારમાં સંક્રમણ ફેલાતા જોખમને જોતા અધિકારીઓની વચ્ચે હડકંપની સ્થિતિ બનેલી છે.
5 હજારથી વધારે લોકો આઇસોલેશનમાં
જણાવી દઇએ કે મહારાષ્ટ્રના મુંબઇમાં આ પહેલા પણ કોરોનાના ઘણા કેસ સામે આવી ચુક્યા છે. મુંબઇ સહિત પ્રદેશના અન્ય ભાગોમાં કોરોના દર્દીઓના સંપર્કમાં આવનાર 5 હજારથી વધારે લોકો આઇસોલેશન વૉર્ડ્સમાં રાખવામાં આવ્યા છે. આ તમામ લોકોની દેખરેખ માટે સરકારની તરફથી 4 હજારથી વધારે સ્વાસ્થ્યકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.