સૌરાષ્ટ્રમાં કોરોના કેસમાં વધારો યથાવત છે. સૌરાષ્ટ્રમાં એક દિવસમાં 9 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટમાં 3 કેસ અને જૂનાગઢમાં 2 કેસ નોંધાયા છે.
રાજકોટમાં 4 દિવસમાં 11 કેસ નોંધાતા ફફડાટ
શહેરમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી
મુંબઇથી પરત ફરેલા 3 વ્યક્તિ કોરોના પોઝિટિવ
રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી પોઝિટિવ કેસ આવી રહ્યા છે ગઇકાલે 3 કેસ નોંધાયા હતા અને છેલ્લા 4 દિવસમાં 11 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. શહેરમાં કોરોના કેસમાં વધારો થતા બંધ કરવામાં આવેલી હોસ્પિટલ ફરી શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલમાં બે દર્દીઓ સારવાર માટે દાખલ કરાયા છે.
શહેરમાં 4 દિવસમાં 11 કેસ નોંધાતા ફફડાટ
રાજકોટમાં મુંબઈથી રાજકોટ પરત ફરેલા એક જ પરિવારના ત્રણ સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો મહત્વનું છે કે આ ત્રણેય વ્યક્તિોઓએ વેક્સિનના બંને ડોઝ લીધા હતા. શહેરમાં ફરી પાછુ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે સંક્રમણ વધતા ચિંતામાં વધારો થયો છે.
કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી
શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 11 થતા છેલ્લા ઘણા સમયથી સિવિલ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલના દરવાજા બંધ કરવામાં આવ્યા હતા તે ફરી ખોલવામાં આવ્યા છે. હાલ આ હોસ્પિટલમાં 2 દર્દી સારવાર લઇ રહ્યા છે. ગઇકાલે મુંબઇથી રાજકોટ પરત ફરેલા એક જ પરિવારના ત્રણ સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કેસ વધવા લાગતા હવે રોજ 2 હજાર લોકોના ટેસ્ટ કરવામાં આવશે.
આરોગ્ય વિભાગનો ખાસ એક્શન પ્લાન તૈયાર
રાજ્યમાં કોરોનાના કેસ વધતા રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી છે, આરોગ્ય વિભાગે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો જેને લઈ બહારથી આવેલા લોકોનું ફરજિયાત ટેસ્ટિંગ કરાશે રાજ્ય સરકારે આજથી માસ વેક્સિનેશન પર ભાર મુક્યો છે. 'આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું વેક્સિનના બન્ને ડોઝ લેવા જરૂરી' એક ડોઝ લેનારા લોકો બીજો ડોઝ જરૂર લે AMCમાં રસીનો ડોઝ લીધો હશે તો જ એન્ટ્રી અપાશે, તો આરોગ્ય વિભાગે મહાનગરોમાં સૂચના આપી છે.
કોરોનાના વધતા કેસ મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલ અપીલ
સૌરાષ્ટ્રમાં કોરોના કેસમાં વધારો યથાવત છે. સૌરાષ્ટ્રમાં એક દિવસમાં 9 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટમાં 3 કેસ અને જૂનાગઢમાં 2 કેસ નોંધાયા છે. જ્યારે અમરેલી, ગીર સોમનાથમાં 1-1 કેસ નોંધાયા છે. અને મોરબી અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે કોરોનાના વધતા કેસ મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે દિવાળીમાં ફરી કોરોના કેસ સામે આવી રહ્યાં છે માટે લોકોએ ધ્યાન રાખવું પડશે અને નિયમોનું પાલન કરવું પડશે.