આજે અયોધ્યામાં ભાજપના 11 રાજ્યોનાં મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ હાજર રહેવાનાં છે. તમામ લોકો શ્રી રામના દર્શન કરશે અને વિવધ સ્થળોની મુલાકાત લેશે.
11 રાજ્યોના મુખ્યમંત્રી અને ઉપ મુખ્યમંત્રી હાજર રહેશે
કાશી બાદ આજે અયોધ્યામાં પહેલી વાર ભાજપના દિગ્ગજ નેતાઓ એકસાથે મળી રહ્યા છે. આજે આયોધ્યામાં ભાજપ શાસિત 11 રાજ્યોના મુખ્યમંત્રી અને ઉપ મુખ્યમંત્રી હાજર રહેશે અને રામલલાનાં દર્શન કરશે. દેશમાં આ સમયે 11 રાજ્યોમાં ભાજપની સરકાર છે. દેશના અલગ અલગ પ્રાંતોનાં મુખ્યમંત્રી આજે અયોધ્યામાં આવશે અને પ્રદેશના મુખ્યયમંત્રી યોગી આદિત્યનાથ તેઓનું સ્વાગત કરશે. આ પ્રસંગે પોળીસ અને પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
પહેલી વખત બનશે આવું
કાશી વિશ્વનાથ કોરિડોરનાં લોકાર્પણ બાદ આજે અયોધ્યામાં 11 રાજ્યોના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હાજર રહેશે તેવો કાર્યક્રમ છે. ભ્રમણ કાર્યક્રમને કારણે મંગળવારે ડીએમ નિતેશ કુમાર અને એસપી શૈલેષ કુમાર પાંડે દ્વારા ભ્રમણ કાર્યક્રમ સ્થળોનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. ઑફિસર્સની ટીમ હવાઈ પટ્ટી, પંચશીલ હોટલ, હનુમાનગઢી, રામની પૈડી, સરયૂ, આરતી સ્થળ અને રામ જન્મભૂમિ પરિસરની વ્યવસ્થા કરશે અને ધ્યાન રાખશે.
કયા કયા સ્થળોની મુલાકાત
ઓફિસર્સ દ્વારા આ સ્થળે હાજર રહેનાર સુરક્ષા વ્યવસ્થાપક સાથે વાતચીત કરવામાં આવી હતી. આવશ્યક તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે મહાનુભાવો બુધવારે અયોધ્યા હવાઈ પટ્ટી પર બપોર આસપાસનાં સમયે આગમન કરશે. ત્યાર બાદ બધા બાઈપાસ સ્થિત હોટલ જશે. ત્યાર બાદ હનુમાન ગઢી, રામ કી પૈડી, સરયૂ આરતી સ્થળ, રામ જન્મભૂમિ
ઇલેક્શન અગાઉ માસ્ટર પ્લાન
આગામી સમયમાં ઉત્તરપ્રદેશમાં ચૂંટણી આવી રહી છે. ત્યાંની સ્થાનિક જનતાને રીઝવવા માટે તમામ પાર્ટીઓએ કમર કસી છે. ઉત્તરપ્રદેશ દેશનું મુખ્ય અને સૌથી વધારે વસ્તી ધરાવતું એક રાજ્ય કહેવાય છે. ત્યારે ત્યાં ચૂંટણી જીતવી એ કોઈ પણ પક્ષનો ધ્યેય હોય એ દેખીતું છે. હવે મોદી સરકારે વિવિધ યોજનાઓ દ્વારા અહીંની જનતાને આકર્ષવાનાં પ્રયાસો કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.