ઘંટીએ ઘઉં દળાવવા જતી વખતે તુલસીના 11 પાન ઘઉંની અંદર નાંખી દો. એક લાલ થેલીમાં કેસના 2 પાન અને થોડા ઘઉં નાંખીને મંદિરમાં રાખીને પછી એને પણ દળાવવા વાળા ઘઉંમાં મિક્સ કરી દો. રૂપિયામાં વધારો થશે અને લક્ષ્મીનો વાસ થશે ધ્યાનમાં રાખો કે લોટ માત્ર સોમવારે અથવા શનિવારે જ દળાવો.
જે વ્યક્તિઓને લાખ પ્રયત્ન કરવા પર પણ પોતાનું મકાન બની શકતું નથી એ દર શુક્રવારે નિયમથી કોઇ ભૂખ્યાને ભોજન કરાવો અને રવિવારે ગાયને ગોળ ખવડાવો. આવું નિયમિત કરવાથી તમારી અચળ સંપત્તિ બનશે અથવા પૈતૃત સંપત્તિ પ્રાપ્ત થશે.
જો તમે કોઇ સગા સંબંધીને રૂપિયા આપ્યા છે અને એ પાછા આવી રહ્યા નથી તો 21 સફેદ કોડીઓને પીસીની ચૂરણ કરીને એના દરવાજાની આગળ પાથરી દો. આ ક્રિયા 43 દિવસ સુધી કરતા રહો. એ વ્યક્તિ તમારા રૂપિયા પાછા કરી દેશે. શનિવારે પીપળાના ઝાડનવું એક પાન તોડી લાવો એને ધૂપ અગરબત્તી કરીને તમારી દુકાનની ગાદી જેની પર તમે બેસો છો એની નીચે મૂકી દો. સાત શનિવાર સુધી સતત આવું કરો. જ્યારે ગાદીની નીચે સાત પાન એકઠા થઇ જાય તો એને એક સાથે કોઇ તળાવ અથવા કુવામાં વહેવડાવી દો. વ્યવસાય ચાલવા લાગશે.