ઝારખંડમાં મુસ્લિમ યુવકને માર મારવામાં આવતા તેનું મૃત્યું થયું હતું જેને લઇને સોમવારે 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ બે પોલીસકર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. બંને ખરસાવાં અને સિની પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારી હતા.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયો પોલીસને અંસારીના પરિવારે ઉપલબ્ધ કરાવ્યો હતો જેને લઇને તપાસ ચાલી રહી છે. અંસારીના પરિવારે કેટલાક સભ્યો વિરુધ્ધ ફરિયાદ કરી હતી જેમાં અજાણ્યા શખ્સની વાત કરી હતી. જેના આધારે અમે 11 લોકોની ધરપકડ કરી છે.
જો કે હાલમાં પરિસ્થિતિ સામાન્ય છે, તેમ છતાં ગામમાં એક પોલીસ ટૂકડી તૈનાત કરી દેવામાં આવી છે. પોલીસ અધીક્ષકના જણાવ્યા અનુસાર હજી સુધી પોસ્ટમાર્ટમનો રીપોર્ટ મળ્યો નથી. ઝારખંડના સરાઈકેલામાં એક મુસ્લિમ યુવક તબરેજ અંસારીનું મોબ લિચિંગમાં મૃત્યું થયુ હતું. બાઈક ચોરીની આશંકામાં તજરેબ અંસારીને સ્થાનિકોએ પકડ્યો હતો અને તેને 18 કલાકથી પણ વધુ સમય સુધી માર મારવામાં આવ્યો હતો.
ત્યાર બાદમાં તેને પોલીસ હવાલે કર્યો હતો. જો કે ત્યાર પછી સારવાર દરમિયાન તબરેજનું મોત થયું હતુ. આ મામલે પોલીસે 11 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે બીજી તરફ, બે પોલીસકર્મીઓને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આ ઘટનાને લઈને કોંગ્રેસે એવી માગ કરી છે કે પીડિત પરિવારને આર્થિક સહાય કરવામાં આવે અને પીડિત પરિવારમાંથી કોઈ વ્યક્તિને નોકરી આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે, તબરેજને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો અને લોકોએ પણ આ મામલે વિરોધ વ્યક્ત કર્યો હતો.
એટલું જ નહીં બોઈક ચોરીની આશંકામાં આ યુવકને માર તો મારવામાં આવ્યો પણ સાથે સાથે મૃતક તબરેજ પાસે જય શ્રીરામ અને જય હનુમાનના નારા પણ લગાવડાવવામાં આવ્યા હતા. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે બાઈક ચોરીની શંકામાં જય શ્રીરામ અને જય હનુમાન ક્યાંથી વચ્ચે આવ્યા.