ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ આગામી 3 જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે. અગાઇ જૂનના અંતિમ સપ્તાહમાં આવાનું હતું પરંતુ માર્કશીટની કામગીરીમાં વિલંબ થતા સમયમાં ફેરફાર કરવામાં આવ્યો
3 જુલાઈએ ધોરણ 10નું પરીણામ જાહેર થવાની શક્યતા
માર્કશીટને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ
માર્કશીટ મળ્યા બાદ પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે
ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ આગામી 3 જુલાઈ સુધીમાં જાહેર થઈ શકે છે. પરિણામ જાહેર કરવાને લઈને ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે. કોરોનાને કારણે વિદ્યાર્થીઓની પરિક્ષા ભલે રદ કરવામાં આવી હોય. પરંતુ અગાઉ શાળાઓ દ્વારા જે પરિક્ષા લેવામાં આવી હતી તેને લઈને પરિણામ નક્કી કરવામાં આવશે તેવી સંભવના છે.
માર્કશીટના કામને કારણે સમયમાં ફેરફાર થયો
પરિણામને લઈને રાજ્ય પરીક્ષા વિભાગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમા માર્કશીટને લઈને મોટા ભાગની બધીજ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ પહેલા અગાઉ એવી માહિતી સામે આવી હતી કે જૂનના અંતિમ સપ્તાહમાં માર્કશીટ આપવામાં આવશે. પરંતુ માર્કશીટ તૈયાર કરવાની કામગીરીમાં વિલંબ થતા સમયમાં ફેરફાર કરવામાં આવ્યો.
3 જુલાઈએ પરિણામ જાહેર થવાની શક્યતા
શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 3 જુલાઈ સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. આ મામલે રાજ્ય પરીક્ષા વિભાગ દ્વારા પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરંતુ કોઈ પણ ચોક્કસ માહિતી અત્યાર સુધી સામે નથી આવી જેથી કહી શકાય કે જુલાઈના પ્રથમ સપ્તાહમાં પરિણામ જાહેર થઈ જશે.
પરિણામ બાદ પ્રવેશ પ્રક્રિયા શરૂ
વિદ્યાર્થીઓ દ્વારા પણ પરીક્ષાના પરિણામને લઈને આતુરતાથી રાહત જોવામાં આવી રહી છે. તેના પાછળનું કારણ છે કે પરિક્ષાના પરિણામ બાદ પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. જેથી વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
રીપીટ વિદ્યાર્થીઓની પરિક્ષા રદ થાય તેવી શક્યતા
ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે 10માં અને 12માં ધોરણની પરિક્ષા આ વર્ષે રદ કરવામાં આવી છે. પરંતુ વિદ્યાર્થીઓએ અગાઉ જે પરીક્ષા આપી હતી. તે પરિક્ષાને લઈને પરિણામ જાહેર કરવામાં આવી શકે છે. અને હવે રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા પણ રદ કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.