પાલનપુરના લાલાવાડા ખાતે મા અર્બુદાના 108 સહસ્ત્ર ચંડી યજ્ઞ નિર્વિઘ્ને પૂર્ણ થયો, ત્રણ દિવસ સુધી 551 બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચાર સાથે 1500 યજમાનોએ આ યજ્ઞમાં આહુતિ આપી હતી
મા અર્બુદાનો 108 સહસ્ત્ર ચંડી યજ્ઞ સુખરૂપ સંપન્ન
10 લાખથી વધારે લોકોએ મા અબુદાના યજ્ઞના દર્શન કર્યા
15 હજાર જેટલા સ્વયંસેવકો અને પોલીસે ખડેપગે રહી
બનાસકાંઠામાં પાલનપુરના લાલાવાડા ખાતે મા અર્બુદાના 108 સહસ્ત્ર ચંડી યજ્ઞની આજે પૂર્ણાહુતિ થઈ છે, ચાર દિવસ આ મહા યજ્ઞનો કાર્યક્રમ ચાલ્યો હતો. જેમાં 10 લાખથી વધારે લોકોએ મા અબુદાના યજ્ઞના દર્શન કર્યા છે કોઈપણ પ્રકારના વિઘ્ન વગર આ મહાયજ્ઞ નિર્વિઘ્ને પૂર્ણ થયો છે.
ત્રણ દિવસ સુધી 551 બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચાર
45 દિવસ અગાઉ મા અર્બુદાના 108 ચંડી મહાયજ્ઞની તૈયારીઓ શરૂ કરાઈ હતી ચૌધરી સમાજના કુળદેવી અર્બુદા માતાના યજ્ઞને લઈનેચાર દિવસ ચાલેલા યજ્ઞ કાર્યક્રમમાં 10 લાખથી વધુ દર્શનાર્થીઓ મા અર્બુદાના યજ્ઞના દર્શન કર્યા હતા. સાતમાળની બનાવેલી યજ્ઞશાળામાં સતત ત્રણ દિવસ સુધી 551 બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રો ચાર સાથે 1500 યજમાનોએ આ યજ્ઞમાં આહુતિ આપી હતી અને આજે વૈદિક મંત્રોચાર સાથે શ્રીફળ હોમી અને આ અર્બુદા 108 ચંડી યજ્ઞ સુખરૂપ સંપન્ન થયો છે.
આઠ લાખ જેટલા લોકોએ ભોજન પ્રસાદ લીધો
ત્રણ દિવસ ચાલેલા 108 કુંડી મહાયજ્ઞમાં ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ સહિતના ચૌધરી સમાજના લોકો સહિત સર્વ સમાજના લોકો આ યજ્ઞના દર્શનાર્થે આવ્યા હતા. ત્યારે દસ લાખ જેટલા લોકોએ યજ્ઞના દર્શનનો લાભ લીધો હતો જ્યારે આઠ લાખ જેટલા લોકોએ ભોજન પ્રસાદ લીધો હતો. યજ્ઞમાં સાત માળની યજ્ઞશાળા ઉપરાંત 100 વીઘામાં પાર્કિંગની વ્યવસ્થા કરાઈ હતી જ્યારે એક સાથે 20,000 લોકો ભોજન પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા પણ કરાવી હતી ત્યારે લોકોની સલામતીને લઈને 15 હજાર જેટલા સ્વયંસેવકો અને પોલીસે ખડેપગે રહી હતી. આવનાર દર્શનાર્થીઓ માટે ચા-પાણી અને પગરખા કેન્દ્રની વ્યવસ્થા સહિત એક નાની હોસ્પિટલ પણ ઉભી કરાવી હતી ત્યારે દર્શનાર્થીઓએ કોઈ પણ મુશ્કેલી વિના મા અર્બુદાના યજ્ઞના દર્શન કર્યા હતા. આ મહાયજ્ઞમાં શિક્ષણ વ્યસનમુક્તિ અને સામાજિક એકતા પર ભાર મુકાયો હતો.
છેલ્લા ચાર દિવસ ચાલેલા અર્બુદા માતાજીનાં મહાયજ્ઞમાં લાખો ભક્તોએ દર્શન કર્યા છે. પાર્કિંગ અને પાણી માટે યુવાનો તેમજ બહેનોઓ ખડે પગે સેવાઓ પૂરી પાડી હતી. ચૌધરી સમાજ સહિત અન્ય સમાજો સાથે સમગ્ર દેશનું કલ્યાણ થાય તે હેતુથી આ મહાયજ્ઞમાં તમામ સમાજના લોકો જોડાયા હતા. ભોજનની વ્યવસ્થામાં લાખો ભક્તોને સ્વયંસેવકોએ પ્રેમથી જમાડ્યા હતાં.