ભારતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના પીડિતોના આંકડા જાહેર કર્યા છે. જેમાં ભારતમાં અત્યાર સુધી 108 લોકો કોરોના વાયરસની અસર હેઠળ હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં 17 વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થયો છે.
107માંથી 9 કોરોનાના દર્દીઓ સાજા થયા અને 2 લોકોના મોત
મુંબઇમાં કોરોનાને લઇને કલમ 144 લાગુ કરાઇ
ભારતમાં 108 કોરોના દર્દીઓ કોરોનાના
સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના પીડિતોના આંકડા જાહેર કર્યા છે. જેમાં ભારતમાં 108 કોરોના દર્દીઓ કોરોનાના છે. 108માંથી 17 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. ત્યારે 108 માંથી 9 કોરોનાના દર્દીઓ સાજા થયા અને 2 લોકોના મોત છે.
Ministry of Family and Health Welfare: Total number of confirmed #COVIDー19 cases across India is 107 (including foreign nationals as on 15th March at 12 PM) #Coronaviruspic.twitter.com/O9OupPUUjJ
કોરોનાને લઈ મુંબઈમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. કોરોનાને કેસમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 32 દર્દીઓ છે. જ્યારે કેરળમાં 22 અને કર્ણાટકમાં 6 કેસ છે. જ્યારે તેલંગાણામાં 3, લદ્દાખમાં 3 અને યુપીમાં 11 કોરોનાના કેસ નોંધાયા છે. તો દિલ્હીમાં પણ કોરોનાના 7 કેસ નોંધાયા છે.
લોકોને અવેર કરવા પ્રયાસો કરી રહ્યા છે
કોરોનાને પગલે ભારત સરકાર પણ વારંવાર અવનવી એડવાઈઝરી બહાર પાડી લોકોની સુરક્ષાનું ધ્યાન રાખી રહી છે. એટલું જ નહીં ટેલિકોમ મીડિયાના માધ્યમથી સમયે સમયે નવા સૂચનો પણ આપી રહ્યાં છે. તેમજ લોકોને અવેર કરવા પ્રયાસો કરી રહ્યા છે.