અમદાવાદમાં નરોડા પાસે એક અકસ્માત સર્જાયો હતો જેમાં ફરી એક વાર 108 મોડી પહોંચી હતી જેને પરિણામે 2 જોડિયા બાળકોનું મોત થયુ હતુ. અગાઉ થોડા દિવસો પૂર્વે જ 108 ન પહોંચવાને પગલે CMના માસિયાઈ ભાઈનું મોત થયુ હતુ. હવે ફરીવાર બે માસૂમ જીંદગી હોલવાઈ જતા 108 સામે પ્રશ્નો ખડા થઈ રહ્યા છે.
અકસ્માતમાં ઈજાગ્રસ્ત બન્ને જોડિયા ભાઇના મોત થયા
108 મોડી પહોંચતા નરોડામાં બે બાળકોના મોતનો પરિવારજનોએ આરોપ
લાંભા ગામમાં જોડિયાં ભાઈ લવ અને કુશ (ઉં.વ.10) નો મોડી રાતે થયો હતો અકસ્માત
108ની બેદરકારી એકવનાર ફરી આવી છે. અમદાવાદમાં અકસ્માત સ્થળે 108 મોડી પહોચી હતી. 108 મોડી પહોંચતા નરોડામાં બે બાળકોના મોતનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે. તાત્કાલિક સારવાર ન મળવાને કારણે બાળકોનો જીવનદીપ હોલવાઈ ગયો હતો.
અમદાવાદમાં નરોડામાં હિટ એન્ડ રન કેસમાં બેના મોતને માલમે 108ની બેદરકારી સામે આવી છે. ગઈ કાલે મોડી રાતે અકસ્માત સર્જાયો હતો જેમાં તાત્કાલિક મદદ ન મળવાને કારણે અકસ્માતમાં ઈજાગ્રસ્ત બન્ને જોડિયા ભાઇના મોત થયા છે.
ક્યાંની છે ઘટના
લાંભા ગામમાં જોડિયાં ભાઈ લવ અને કુશ (ઉં.વ.10) તેમની માતા સાથે લાંભા ગામના વળાંક પાસેથી પસાર થઈ રહ્યા હતા એ જ વખતે એક બાઈક ચાલકે તેમને ટક્કર મારી હતી. જેમાં લવ-કુશને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે તેમની માતાને નજીવી ઈજા થઈ હતી. આ તમામ ઘટનામાં તત્કાલિક સારવાર ન મળવાને કારણે દસ વર્ષના લવ-કુશના મોત થયા છે.
અગાઉ પણ લાગી ચુકયા છે આરોપ
4 ઓક્ટોબરે મુખ્યમંત્રીના માસીયાઇ ભાઇનું થયું હતું મોત જેમાં રાજકોટમાં મોત પાછળ 108 ને જવાબદાર ઠેરવવામાં આવી રહી હતી. તેમના પરિવારજનોએ પણ આક્ષેપ કર્યો હતો કે 108ની બેદરકારીને કારણે જ CMના ભાઈનું મોત થયુ છે.