108 ઈમરજન્સી સેવા લોકો માટે આર્શીર્વાદ સમાન બની છે. ત્યારે સગર્ભા મહિલાઓ, અકસ્માત કે અન્ય કોઈ પણ ઈમરજન્સી સારવાર માટે 108 એન્બ્યુલન્સ વરદાન બની છે. ત્યારે 108 ઈમરજન્સી સેવાનાં કારણે કેટલાય લોકોનો જીવ બચી જવા પામ્યો છે. સુરતરમાં 108 એમ્બ્યુલન્સમાં છેલ્લા 5 વર્ષમાં 5539 મહિલાઓની પ્રસૃતિ કરવામાં આવી છે.
5 હજાર 539 કોલ પર ત્વરિત ડિલિવરી કરાઈ
સુરતમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રસંશનીય કામગીરી કરવામાં આવી છે. સગર્ભા મહિલાઓ માટે ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ વરદાન બની છે. છેલ્લા પાંચ વર્ષમાં 5 હજાર 539 મહિલાઓની પ્રસૃતિ 108 એમ્બ્યુલન્સ દ્વારા કરાવવામાં આવી છે. જેમાં વર્ષ 2018 થી સુરતમાં 108 એમ્બ્યુલન્સને 2 લાખ 17 હજાર 264 કોલ મળ્યા છે. ત્યારે 5539 કોલ પર ત્વરિત ડિલિવરી કરાઈ છે.
108 ની ટીમે અત્યારે સુધી 5539 ડિલિવરી કરાવી
આ બાબતે સુરત જીલ્લામાં 108 માં પ્રોગ્રામ અધિકારી તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે 108 ની ટીમે અત્યારે સુધી 5539 ડિલિવરી કરાવી છે. ત્યારે ઘણી ડિલિવરી એમ્બ્યુલન્સમાં કરાવવામાં આવી છે. ત્યારે લોકોને અપિલ છે કે જ્યારે પણ સુવાવડનો દુઃખાવો થાય ત્યારે તુરંત જ 108 ને જાણ કરવી. જેથી ડિલિવરી ઘટના સ્થળ પર કરાવવાની ફરજ ન પડે. અને હોસ્પિટલમાં ર્ડાક્ટરની દેખરેખ હેઠળ ડિલિવરી કરાવી શકાય.