માત્ર એક ફોન રણકતાં શહેરનાં લીસા સપાટ રોડ પર અને અંતરિયાળ ગામડાઓની ઊબડખાબડ સડકો પર દોડી જતી 108 એમ્બ્યુલન્સ વાન અનેક દર્દીઓ માટે રાહતનું કારણ બનતી હોય છે તો અનેક મરણોન્મુખ આવી ગયેલા નાગરિકો માટે નવજીવનની આશાનું કિરણ સાબિત થતી હોય છે. આ 108 એમ્બ્યુલન્સ વાન કોઈ મિકેનિકને ભલે માત્ર યાંત્રિક વાહન લાગે પરંતુ અનેક ઘાયલ લોકો અને દર્દીઓને તે જીવન દાતા ભગવાન જેવી લાગતી હોય છે.
થોડાં વર્ષો પહેલા રાજ્યમાં શરૂ થયેલી 108 એમ્બ્યુલન્સ સેવા આજે રાજ્યનાં અનેક નાગરિકો માટે જીવાદોરી બની ગઈ છે. જો કે તે માટે આ એમ્બ્યુલન્સને પણ દુરસ્ત રાખવી પડે છે. આ એમ્બ્યુલન્સને શક્ય તેટલી કરકસરપૂર્વક સમયાંતરે રિપેર કરવામાં આવે છે પરંતુ સમય જતાં આ સેવા (help) માં રોકાયેલી એમ્યુલન્સ વાનને પણ નિવૃત્ત કરી દેવામાં આવે છે. ત્યારે કેવું હોય છે આ 108 વાનની ભરતીનું અને વય નિવૃત્તિનું તંત્ર જોઈએ આ અહેવાલમાં.
માત્ર એક ફોન રણકતાં શહેરનાં લીસા સપાટ રોડ પર અને અંતરિયાળ ગામડાઓની ઊબડખાબડ સડકો પર દોડી જતી 108 એમ્બ્યુલન્સ (108 ambulance) વાન અનેક દર્દીઓ માટે રાહતનું કારણ બનતી હોય છે તો અનેક મરણોન્મુખ આવી ગયેલા નાગરિકો માટે નવજીવનની આશાનું કિરણ સાબિત થતી હોય છે. આ 108 એમ્બ્યુલન્સ વાન કોઈ મિકેનિકને ભલે માત્ર યાંત્રિક વાહન લાગે પરંતુ અનેક ઘાયલ લોકો અને દર્દીઓને તે જીવન દાતા ભગવાન જેવી લાગતી હોય છે.
108 એમ્બ્યુલન્સની સેવા દિવસે ને દિવસે આધુનિક બનતી જાય છે. દર્દીઓને નવજીવન સુધી લઈ જતી આ વાનને પણ સમયાંતરે દુરસ્તી પ્રક્રીયામાંથી પસાર થવું પડે છે. સરકારી કર્મચારીને જે રીતે નોકરીમાં વયમર્યાદાનો નિયમ લાગુ પડે છે તે રીતે 108 એમ્બુલન્સ વાનને પણ ચોક્કસ સમયે નિવૃત્ત (retirement) થવું પડે છે. અનેક દર્દીઓ અને ઘાયલ વ્યક્તિઓ માટે જીવન આશા જગાવતી આવી એમ્બયુલન્સ સેવાએ રાજ્યને એક આગવી ઓળખ આપી છે.
ગુજરાતમાં વર્ષ 2007થી 108 એમ્બુલન્સ સેવા સક્રીય છે. હાલ ગુજરાતમાં 587 એમ્બુલન્સ વાન ઈમરજન્સી સેવા પુરી પાડે છે. 108 એમ્બુલન્સ સેવાની સુવિધાને લઈને અનેક આક્ષેપો પણ થયા છે. પરંતુ ઘણી વાર ટેક્નિકલ ખામી કે એમ્બુલન્સ વાનમાં રહેલી ખામીઓનાં કારણે મુશ્કેલીઓ પડતી હોય છે. એમ્બ્યુલન્સ વાનની મર્યાદા 5 વર્ષ અથવા તો 3 લાખ કિલો મીટરની હોય છે. એમ્બુલન્સ વાન આ મર્યાદા પૂર્ણ કરે એટલે તેને નિવૃત્ત કરી દેવામાં આવે છે. જો કે તેમ છતાં આ વ્હીકલ ઉપયોગ કરી શકાય તેવુ હોવાનાં કારણે તેને તેનો અર્જન્ટ સેવામાં ઉપયોગ કરવામાં આવતો નથી પરંતુ થોડી હળવી મેડિકલ સેવામાં આ વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે.
દર વર્ષે 10થી 15 એમેબુલન્સ વાનને નિવૃત કરવામાં આવે છે જયારે સરકાર તરફથી નવી 20 વાન ઉપલબ્ધ થાય છે. નિવૃત્ત વાનને વેચીને નવી વાન લાવવામાં રોકાણ પણ કરવામાં આવે છે. ચોમાસામાં પાણી ભરાઈ જવાના કારણે 108 એમ્બુલન્સ વાનમાં વધુ નુકસાન થતું હોય છે. ખાડા અને પાણીનાં કારણે મુશ્કેલીઓ વધતી હોય છે. જે રીતે મ્યુનિસપલ કોર્પોરેશન પ્રિ-મોનસુન પ્લાન તૈયાર કરે છે તે જ પ્રકારે એમ્બુલન્સ સેવાને લઈને પ્રિ મોનસુન સેવા તૈયાર કરીને આ મુશ્કેલીઓ સામે લડવામાં આવે છે.
માત્ર એક ફોન દ્વારા આપણને ઉગારવા આવતી 108 એમ્બ્યુલન્સ વાનને પોતાનાં કાર્યકાળ દરમિયાન એક જીવતા જાગતા વ્યક્તિ કરતાં પણ અનેકગણું દુરસ્ત રહેવું પડે છે. તે ઈમર્જન્સી સેવામાંથી નિવૃત્ત થાય છે તે પછી પણ નવજાત બાળકોનું ખિલખિલાટ સંભળાવવા દોડતી જ રહે છે. આવી ઈમર્જન્સી સેવાને કોઈની પ્રશંસાનો મોહતાઝ નથી હોતો.