ઓમિક્રોન ખતરાની વચ્ચે દિલ્હીમાં છ મહિના બાદ રવિવારે કોરોનાના 100 કરતા વધુ કેસ નોંધાતા ચિંતા વધી છે.
દિલ્હીમાં 15 જુન બાદ પહેલી વાર આવ્યાં કોરોનાના 100થી વધુ કેસ
ઓમિક્રોન ખતરાની વચ્ચે દિલ્હીમાં વધી રહ્યાં છે કેસ
જોકે છેલ્લા 10 દિવસમાં કોરોનાથી એક પણ મોત નહીં
દિલ્હી સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 107 કેસ આવ્યા અને કોરોના સંક્રમણ દર 0.17 ટકા થઈ ગયો છે. છેલ્લા છ મહિના દરમિયાન કોઈ એક દિવસમાં કોરોનાના સૌથી વધારે કેસ આવ્યાં છે. આ પહેલા 25 જુને એક દિવસમા કોરોનાના 115 કેસ આવ્યાં હતા અને 22 જુને સંક્રમણ દર 0.19 ટકા હતો. દિલ્હીમાં 10 દિવસ બાદ કોરોનાથી કોઈ મોત થયું નથી.
દેશમાં ઓમિક્રોન વેરિયન્ટ આફત વધી રહી છે
દેશમાં કોરોના વાયરસના ઘાતક ઓમિક્રોન વેરિયન્ટ આફત વધી રહી છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 145 કેસો નોંધાયા છે. આ સાથે જ ભારત બેવડા ખતરાનો સામોન કરી રહ્યું છે. પહેલો ખતરો સરકારની નીતિઓનો છે. અને બીજો ખતરો પ્રજાની બેદરકારીનો છે. નવું વર્ષ નવી પરેશાનીઓ લાવી શકે છે.
ભારતમાં ઓમિક્રોનના કેસ ક્યાં જોવા મળ્યા તે પહેલા જાણો
મુંબઈની એક શાળામાં 18 બાળકો કોરોના પોઝિટિવ મળી આવ્યાં
નવી મુંબઈના ઘનસોલીની શેતકાળી વિદ્યાલયમાં 18 બાળકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા, જેના પછી સાત દિવસ માટે શાળા બંધ કરી દેવામાં આવી છે. આ ઘટના બાદ 800 વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. નાગપુરમાં પણ એક શાળાની વિદ્યાર્થીની કોરોના પોઝિટિવ મળી આવી છે. હવે જીનોમ સિક્વન્સિંગથી એ જાણવામાં આવી રહ્યું છે કે ઓમિક્રોન છે કે નહીં?