મન હોય તો માળવે જવાય એ કહેવત અહીં સાચી પડી છે. શિક્ષણ મેળવવાનો પહેલો હેતુ પોતાને શિક્ષિત કરવાનો હોય છે, પણ આજે તે ફક્ત નોકરી કેન્દ્રીત થઈ ગયું છે. ત્યારે આ 105 વર્ષના દાદીએ સાબિત કરી દીધું છે કે શિક્ષણએ ફક્ત નોકરી માટે નહીં પણ પોતાને શિક્ષિત કરવા હોય છે. આ દાદીએ એવુ કરી બતાવ્યું કે લોકો કહી રહ્યાં છે વાહ...
105 વર્ષનાં પરદાદીએ ચોથા ધોરણની સમકક્ષ પરિક્ષા પાસ કરી
ભગીરથી અમ્મા દેશની સૌથી મોટી ઉંમરનાં વિદ્યાર્થીની
અમ્માએ 9 વર્ષની ઉંમરે ત્રીજા ધોરણનો અભ્યાસ છોડી દોધો હતો
અમ્માને નાનપણથી જ ભણવાની ઈચ્છા હતી પણ...
કેરળના 105 વર્ષીય પરદાદીએ ચૌથા ધોરણની સમકક્ષ પરિક્ષા પાસ કરી દેશની સૌથી વધારે ઉંમરના વિદ્યાર્થી બની ગયાં છે. શતાયુ ભગીરથી અમ્મા ગત વર્ષ રાજ્ય સાક્ષરતા અભિયાન દ્વારા કોલ્લમમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે ભાગ લીધો હતો. આ પરિક્ષાનું પરિણામ બુધવારે જાહેર કરવામાં આવ્યું હતું. અમ્માને નાનપણથી જ ભણવાની ઈચ્છા હતી. પરંતુ આ ઈચ્છા અધુરી રહી ગઈ હતી. કેમ કે માતાનાં મોત બાદ નાના ભાઈ બહેનોની જવાબદારી તેમની માથે આવી ગઈ હતી.
Kerala: 105-year-old Bageerathi Amma from Parakulam in Kollam, who appeared for her fourth standard exam last November, becoming the oldest learner of the Kerala State Literacy Mission, has passed her exam with 74.5 percent marks. pic.twitter.com/ewuUEfJuiG
અમ્માને 12 પૌત્ર-પૌત્રીઓ અને પપૌત્ર અને પપૌત્રીઓ છે
અમ્મા 9 વર્ષનામ હતા ત્યારે તેમણે ત્રીજા ધોરણની ઔપચારિક ભણતર છોડી દીધું હતું. લગ્ન પછી પણ તેમના નસીબે તેમને દગો આપ્યો અને તેના પતિનું પણ નિધન થઈ ગયું હતું. 30 વર્ષની ઉંમરે તે 6 બાળકોની જવાબદારી તેમના માથે આવી ગઈ હતી. અમ્માને 12 પૌત્ર-પૌત્રીઓ અને પપૌત્ર અને પપૌત્રીઓ છે. ભગીરથી અમ્મા કેરળ રાજ્ય સાક્ષરતા મિશન કાર્યક્રમની અત્યાર સુધીની સૌથી મોટી ઉંમરનાં વૃદ્ધ ‘સમતુલ્ય શિક્ષાર્થી’ બની ગયા છે. ગણિતમાં પૂર્ણાંકની સાથે તેમણે કુલ 275 માર્ક માંથી 205 માર્ક મેળવ્યાં છે. દાદીએ ધો.4ની સમકક્ષ પરીક્ષા 74.5% માર્ક્સથી પાસ કરી છે.
11593 વિદ્યાર્થીઓએ ચોથા ધોરણની સમતુલ્ય પરીક્ષામાં ભાગ લીધો
સાક્ષરતા અભિયાન દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કુલ 11593 વિદ્યાર્થીઓએ ચોથા ધોરણની સમતુલ્ય પરીક્ષામાં ભાગ લીધો હતો. જેમાંથી 10012 સફળ રહ્યાં હતાં. જેમાં 9456 મહિલાઓનો સમાવેશ થયો હતો. આ અભિયાનનો હેતુ રાજ્યમાં 4 વર્ષમાં સંપૂર્ણ સાક્ષર બનાવવાનો છે.