કોરોનાકાળમાં દેશના તબીબોએ ખડેપગે મોરચો સંભાળ્યો હતો.હાલમાં કોરોનાકાળ કાબુમાં આવ્યા બાદ હવે તબીબો અને સરકાર સામ સામે આવ્યા છે.
10 હજાર ડૉક્ટર જશે હડતાળ પર
રાજ્યની સરકારી હોસ્પિટલોમાં તમામ સેવાઓ ખોરવાશે
OPD, ઇમરજન્સી સહિતની તમામ સેવાઓ ડૉક્ટર્સ છોડશે
રાજ્યની સરકારી હોસ્પિટલોના તબીબો આવતીકાલથી હડતાળ પર જવાની તૈયારી કરી રહ્યા છે. રાજ્યની સરકારી હોસ્પિટલોના ડોક્ટરો 4 એપ્રિલ સોમવારથી હડતાળ પર જશે. આથી ડોકટરોના વિરોધને કારણે સરકારી હોસ્પિટલોમાં તમામ સેવાઓ ખોરવાશે. એક સાથે 10 હજાર કરતાં વધુ તબીબો પડતર માંગોને લઇ હડતાળ પર જશે. તબીબ યુનિયન મુદ્દાઓને લઇને ત્રીજી વખત હડતાળ પર ઉતરશે. ગુજરાત મેડિકલ ટીચર્સ એસો.ના પ્રમુખ ડૉ. રજનીશ પટેલનું હડતાળને લઇ નિવેદન આપ્યું હતું કે અમારો ભરોસો સરકાર પરથી તૂટી ગયો છે, હવે અમે હડતાળ કરીશું, વારંવાર રજૂઆત છતાં સરકારે અમારી વાત ન સાંભળી,
શું છે ડોકટરોની માગ?
1- ડોક્ટરોની અલગ અલગ માંગણી એડહોકસેવાઓ સળંગ કરવામાં આવે.
2- છેલ્લા 12 વર્ષથી બઢતી કરવામાં નથી આવી તે બઢતી તાત્કાલિક આપવામાં આવે
3- રાજ્યની સરકારી મેડિકલ કોલેજમાં 400 પોસ્ટ ખાલી છે તેની સામે 800 મેડિકલ પ્રોફેસર છે જેમને બઢતી આપી ખાલી 400 પોસ્ટ ભરવામાં આવે.
4- 16 મેના સરકારના ઠરાવ પ્રમાણે નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ,પગારની મહત્તમ મર્યાદા અને પર્સનલ પે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આપવામાં આવેલો પરંતુ આ માંગણીઓનો ઠરાવ 22 નવેમ્બરે રદ કરવામાં આવ્યો છે તેને ફરિ અમલમાં લાવવામાં આવે
4- રિટાયર્ડ થયેલા તબીબી શિક્ષકોને તાત્કાલિક પેન્શન આપવામાં આવે.
5- તબીબોની કોન્ટ્રાક ભરતી બંધ કરી કાયમી ભરતી કરવામાં આવે.
6- થોડા સમય પહેલાં સરકારે આપેલી બાહેધરીઓ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે.
ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને પડશે તકલીફ
આવતીકાલ સોમવારથી 10 હજાર ડૉક્ટર હડતાળ પર જવાના કારણે રાજ્યની સરકારી હોસ્પિટલોમાં તમામ સેવાઓમાં મોટી મુશ્કેલીઓ પડશે. OPD, ઇમરજન્સી સહિતની તમામ સેવાઓ ડૉક્ટર્સ છોડશે. ગુજરાત ગવર્નમેન્ટ ડોકટર ફોરમ દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી છે. હડતાળના કારણે ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓ મુશ્કેલીમાં મુકાશે તે નક્કી છે.