દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર જૈને એવું નિવેદન આપ્યું છે કે દિલ્હીમાં કોરોનાની પાંચમી લહેર ચાલી રહી છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું આજે દિલ્હીમાં 10 હજાર કેસ નોંધાય તેવી શક્યતા છે.
પ્રાઈવેટ હોસ્પિટલોમાં 40 ટકા બેડ રિઝર્વ રાખવાના આદેશ
કોરોનાની ત્રીજી લહેર હાલ પીક ઉપર છે ત્યારે દિલ્હીમાં સૌથી ખરાબ પરિસ્થિતી જોવા મળી રહી છે. ત્યારે સ્વાસ્થ્યમંત્રી સત્યેંદ્ર જૈન દ્વારા આવા સમયે મોટું નિવેદન આપવામાં આવ્યું છે. જેમા તેમણે એવું કહ્યું છે કે દિલ્હીમાં કોરોનાની પાંચમી લહેર આવી ચુકી છે. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે દિલ્હીમાં આજ સાંજ સુધીમાં 10 હજાર કેસ નોંધાય તેવી શક્યતા છે.
આજનો પોઝિટીવીટી રેટ 10 રહેવાની સંભવના
સત્યેન્દ્ર જૈનના કહેવા પ્રમાણે હાલ દેશમાં ત્રીજી લહેર આવી છે પરંતુ દિલ્હીમાં પાંચમી લહેર છે. જો આજે દિલ્હીમાં 10 હજાર કેસ નોંધાયા તો પોઝિટીવીટી રેટ આજનો 10 ટકા રહેશે. તેમણે કહ્યું કે કોરોના હાલ પુરા દેશમાં ફેલાઈ રહ્યો છે પરંતુ તેના લક્ષણો ઓછા છે. જેથી ડરવાની જરૂર નથી પરંતું પ્રોટોકોલનું પાલન કરવું પણ ઘણું જરૂર છે.
40 ટકા બેડ રિઝર્વ રાખવાના આદેશ
સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના કહેવા પ્રમાણે દિલ્હીની પ્રાઈવેટ હોસ્પિટલોમાં હાલ 40 ટકા બેડ રિઝર્વ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે કારણકે અત્યાર સુધી માત્ર 10 ટકા બેડ રિઝર્વ હતા. ઉપરાંત ઓક્સિજનનો પણ પૂરતો સ્ટોક રાખવાનો આદેશ આપવામાં આવ્યા છે.
ઓમિક્રોનના સેમ્પલ લેવાયા
ઓમિક્રોમ મુદ્દે સત્યેન્દ્ર જૈને કહ્યું કે મોટી સંખ્યામાં દર્દીઓ છે જેથી દિલ્હીમાં ઓમિક્રોનના દર્દીઓ કેટલા છે તે જાણવું મુશ્કેલ છે. પરંતુ દરેકના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે જેથી રિઝલ્ટમાં ધીરે ધીરે ખબર પડી શકશે કે કોણ ઓમિક્રોનથી સંક્રમિત થયું છે.
રોજના 3 લાખ ટેસ્ટ
ઉલ્લેખનીય છે કે સત્યેન્દ્રજૈને એવું પણ કહ્યું કહ્યું કે હાલ દિલ્હીમાં કોરોનાનું ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે. રોજના 50 થી 60 હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવતા હતા પરંતું હવે રોજ 3 લાખ જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સાથેજ તેમણે કહ્યું કે સરકાર દ્વરા પણ કોરોનાને રોકવા કડક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.