હર હર મહાદેવ અને પાકિસ્તાન જિંદાબાદ બન્ને વાત ધાર્મિક અને રાજનિક પૃષ્ઠભૂમિ પર સામ સામેના ધ્રુવો છે. પરંતુ સત્ય એ છે કે, આપે જે પૂજા વિધિ જોઈ અને ભક્તિના નારા સાંભળ્યા તે મંદિર પાકિસ્તાનના સિયાલકોટમાં જ આવેલું છે. પાકિસ્તાનના સિયાલકોટમાં વસી રહેલા હિંદુઓ માટે પ્રધાનમંત્રી ઈમરાન ખાનને કારણે સારા દિવસો પરત ફર્યા છે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાનખાને પોતાના દેશમાં એક એવો નિર્ણય લીધો છે જેના કારણે અનેક હિંદુઓમાં આનંદની લાગણી ફેલાઈ છે. હાલ આપણા દેશમાં શ્રાવણ મહિનો દસ્તક દઈ રહ્યો છે. પરંતુ આ અહેવાલ જોશો તો તમને લાગશે કે પાકિસ્તાનમાં જાણે શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે. પાકિસ્તાન અને વળી શિવ શિવ? ત્યારે શું છે આ આખી વાત તે વાંચો આ અહેવાલમાં.
હર હર મહાદેવ અને પાકિસ્તાન જિંદાબાદ બન્ને વાત ધાર્મિક અને રાજનિક પૃષ્ઠભૂમિ પર સામ સામેના ધ્રુવો છે. પરંતુ સત્ય એ છે કે, આપે જે પૂજા વિધિ જોઈ અને ભક્તિના નારા સાંભળ્યા તે મંદિર પાકિસ્તાનના સિયાલકોટમાં જ આવેલું છે. પાકિસ્તાનના સિયાલકોટમાં વસી રહેલા હિંદુઓ માટે પ્રધાનમંત્રી ઈમરાન ખાનને કારણે સારા દિવસો પરત ફર્યા છે. કેમ કે, હવે પાકિસ્તાનમાં વસનારા હિંદુઓ કોઈ પણ પ્રકારની અડચણ વગર ત્યાં પૂજા કરી શકે તેવો માહોલ રચાયો છે.
જેના ભાગરૂપે સિયાલકોટમાં 1000 વર્ષ જૂનું તેજાસિંહ શિવાલય તરીકે ઓળખાતું આ મંદિર 72 વર્ષ બાદ પૂજા અર્ચના માટે ખોલાયું છે. જો કે પાકિસ્તાન તરફથી આ શરૂઆત કંઈ રાતોરાત નથી થઈ. જ્યારે પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર બની તે વખતે જ તેમણે 400 મંદિરોનો જિર્ણોદ્ધાર કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો અને હવે તેમણે પોતાની યોજના અમલમાં મૂકવાનું શરૂ કર્યું છે.
તમને થશે કે ઈમરાનખાનની આ પહેલ પાછળનું કારણ શું હશે? તમને થશે કે મુસ્લીમ બહુમતી વાળા દેશો એક પ્રધાનમંત્રીમાં હિંદુઓ માટે આટલી સહિષ્ણુતા કેમ છે? તો તેનો જવાબ એ છે કે ઈમરાનખાન પાકિસ્તના લોકો ખાસ કરીને યુવાનોને થોડા નરમ કરવા માગે છે. કેમ કે ધાર્મિક કટ્ટરવાદનું ઝેર પાકિસ્તાનને માટે કેન્સરના જીવાણું જેવું બની ગયું છે. પરિણામે રોજગારી સપનું બની ગઈ છે.
અર્થ વ્યવસ્થા ખોરંભે ચડી ગઈ છે. ત્યારે ઈમરાન ખાન હિંદુ મંદિરોનો જિર્ણોદ્ધાર કરીને પાકિસ્તના યુવાનોમાં કોમી સૌહાર્દ જગાવવા માગે છે. ઈમરાન એ વાત જાણી ગયા છે દેશના વિકાસ માટે પહેલા કોમીશાંતિના બીજ વાવવા જરૂરી છે. ઈમરાન ખાનનો આ પ્રયાસે એ વાત સાબિત કરી દીધી છે કે શુભ પહેલ માટે હજુ મોડું નથી થયું. આશા રાખીએ ઈમરાન ખાનના આ પ્રયાસથી ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ અને વિકાસના એક નવા અધ્યાયની શરૂઆત થાય.