સરકાર યુપી ચૂંટણી પહેલા ઈ-શ્રમ કાર્ડ ધરાવતા શ્રમિકોના ખાતામાં ભરણ-પોષણ ભથ્થુ જાહેર કરી રહી છે. શ્રમિકોના ખાતામાં 1000 રૂપિયા જમા કરવામાં આવી રહ્યા છે. તમારૂ એકાઉન્ટ સ્ટેટસ આ રીતે ચેક કરો.
ઈ-શ્રમ પર કરાવો રજીસ્ટ્રેશન
આ રીતે કરો બેલેન્સ ચેક
જાણો કોને કોને મળશે લાભ
જો તમે ઈ-શ્રમ પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો આ ખબર તમારા માટે છે. સરકાર યુપી ચૂંટણી પહેલા ઈ-શ્રમ કાર્ડ ધરાવતા શ્રમિકોના ખાતામાં ભરણ-પોષણ ભથ્થુ જાહેર કરી રહી છે. જે લોકો આ ભથ્થા માટે યોગ્ય છે. તેમના ખાકામાં ઉત્તર પ્રદેશ સરકારની તરફથી પૈસા જમા કરવામાં આવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે સરકારની તરફથી શ્રમિકોના ખાતામાં દર મહિને 500 રૂપિયા નાખવામાં આવશે. દરેક શ્રમિકોના ખાતામાં 1000 રૂપિયા જમા કરવામાં આવી રહ્યા છે. તમે પોતાનું એકાઉન્ટ સ્ટેટસ ચેક કરી શકો છો.
ખાતામાં જમા કરવામાં આવી રહ્યા છે 1000 રૂપિયા
યુપી સરકારે શ્રમિકોના ખાતામાં પૈસા જમા કરવા માટે આખા પ્રદેશના શ્રમિકોના આંકડા ભેગા કર્યા છે. ડિસેમ્બરના અંતથી આ શ્રમિકોના ખાતામાં પૈસા જમાં કરવામાં આવી રહ્યા છે. સરકારે તેના માટે લગભગ 2 કરોડ શ્રમિકોનો ડેટા ભેગો કર્યો છે અને તેમના ખાતામાં 1000 રૂપિયા જમા કરવામાં આવી રહ્યા છે. આ પૈસા ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર હેઠળ જમા કરવામાં આવી રહ્યા છે.
આ શ્રમિકોને મળશે ફાયદો
ઈ-શ્રમ કાર્ડના ફાયદા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને આપવામાં આવે છે. તેમાં લારી-ગલ્લા વાળા, રિક્ષા ચાલક, પાથરણા વાળા, મોચી, ધોબી, દરજી, ફળ શાકભાજી વેચનાર, દૂધ વેચનારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઘર બનાવવા જેવા કામ કરનાર શ્રમિકોનો પણ સમાવેશ થાય છે.
આ રીતે કરો ચેક
ખાતામાંથી જે મોબાઈલ નંબર લિંક છે. તેનો મેસેજ ચેક કરો.
પોસ્ટ ઓફિસ કે બેન્કમાં જઈને ખાતા વિશે જાણકારી મેળવો.
પાસબુકની એન્ટ્રી કરીને પણ જાણકારી મેળવી શકો છો.
મોબાઈલ પર ગુગલ પે, પેટીએમ જેવા વોલેટ છે તો બેન્ક ખાતુ ચેક કરી શકો છો.