મોંઘવારીના ચોતરફ મારની વચ્ચે કોંગ્રેસ નેતા શ્રીનિવાસ બીવાઈએ મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.
મોંઘવારીમાં પિસાઈ રહી છે દેશની જનતા
કોંગ્રેસ કરી રહી છે સરાકર પર આકરાં પ્રહારો
કોંગ્રેસ નેતાએ અચ્છે દિનની યાદ અપાવી
મોંઘવારીના ચોતરફ મારની વચ્ચે કોંગ્રેસ નેતા શ્રીનિવાસ બીવાઈએ મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. રવિવારે માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા તેમણે સવાલ પૂછ્યો કે, અચ્છે દિનમાં એક હજારથી વધારેની કિંમતનો ગેસ સિલેન્ડ શું કટ્ટર દેશભક્ત છે ?
Bure Dino वाला ₹400 का
LPG सिलिंडर 'देशद्रोही' था,
Acche Dino में ₹1000+ में
मिल रहा सिलिंडर कट्टर 'देशभक्त' है?
ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની આ ટિપ્પણી તે સંદર્ભમાં આવી છે, જેમાં ભાજપે નરેન્દ્ર મોદી સરાકર બનતા પહેલા અચ્છે દિન સહિત મોંઘવારીના કેટલાય મહત્વના મુદ્દાને હલ કરવાનો દાવો કર્યો હતો. શ્રીનિવાસના ટ્વિટ મુજબ ખરાબ દિવસોવાળો 400 રૂપિયાનો એલપીજી સિલેન્ડર દેશદ્રોહી હતો, અચ્છે દિનમાં 1000 રૂપિયાથી પણ વધારેનો સિલેન્ડર શું દેશભક્ત છે ?
Modi जी, देश बेचेंगे
Adani जी, तेल से लेकर सेब बेचेंगे
એટલુ જ નહીં, તેમણે આ પહેલા અન્ય એક ટ્વિટમાં પૂછ્યું હતું કે, મોદીજી, દેશ વેચી દેશે. તેલથી લઈને બધું વેચી દેશે. તો પછી દેશનો ખેડૂત શું કરશે ? દેશનો નાનો વેપારી શું કરશે ?
હકીકતમાં જોઈએ તો, યુપી સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી સુધી અમુક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર લગામ હતી, જો કે જેવા ચૂંટણીના પરિણામો આવ્યા કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીકવાનો શરૂ કરી દીધો. તો વળી એલપીજી, પીએનજી અને સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે. તેલ અને ગેસના ભાવ વધવાના કારણે શાકભાજી અને અન્ય ખાવા પીવાની વસ્તુઓના ભાવ પણ વધવા લાગ્યા છે.
કોંગ્રેસ સહિત કેટલીય વિપક્ષી પાર્ટીઓ મોંઘવારીના મુદ્દા પર મોદી સરકારનો ઘેરાવ કરતી દેખાઈ રહી છે. તેલ અને ગેસના ભાવોથી વચ્ચે કોંગ્રેસના નેતાએ ફ્લાઈટમાં ઉતરતી વખતે મોંઘવારીના મુદ્દા પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો ઘેરાવ કર્યો હતો.