અમદાવાદ: બુલેટ ટ્રેન મામલે હાઇકોર્ટમાં થયેલ અરજીના મામલે અરજદારની વકીલે રજૂઆત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે છેલ્લા 3 મહિનાથી ખેડૂતો મામલે જવાબ રજૂ કર્યો નથી. હાઇકોર્ટમાં જમીન સંપાદન મામલે જવાબ રજૂ કરવામાં આવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે હજાર ખેડૂતો દ્વારા હાઇકોર્ટમાં પીટીશન કરવામાં આવી છે. ગુજરાત સરકાર જમીન સંપાદનને લઈને ખોટી વાત ફેલાવી રહી છે. ખેડૂતોએ જણાવ્યુ હતું કે જમીન સંપાદનના કાયદાનું પાલન થઈ રહ્યું નથી. એક હજાર ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
આપને જણાવી દઇએ કે ખેડૂતો દ્વારા જાપાન સરકારનો સંપર્ક કરવામાં આવ્યો છે. એક ખેડૂતોએ ઝીકા બેન્કનો સંપર્ક કર્યો છે. ખેડૂતો દ્વારા ઝીકા બેન્કને જણાવામાં આવ્યું કે સરકાર જમીન સંપાદન સમયે હિતનું ધ્યાન રાખતી નથી. હાઇકોર્ટમાં ખેડૂતોના હિતની અરજી ચાલતી નથી. ખેડૂતો સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે. ભારતમાં જાપાનના રાજદૂતને પ્રભાવિત ખેડૂતો મળશે.
આ મામલે ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે ગુજરાત સરકારે બુલેટ ટ્રેન માટે સપ્ટેમ્બર 2015માં ભારત અને જાપાન વચ્ચે થયેલ સમજૂતી બાદ ભૂ-અધિગ્રહણ અધિનિયમ 2013 ના પ્રાવધાનોને હળવું કર્યું અને પ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવેલ સંશોધન JICAના દિશા નિર્દેશનું ઉલ્લંઘન છે.
તેમણે અદાલતને જણાવ્યું કે આ જમીનો અમારી સહમતિથી નથી લેવાઇ અને આ મામલે અમારી સાથે કોઇપણ પ્રકારની ચર્ચા પણ કરવામાં આવેલ નથી.