અમૃતસરના જલિયાંવાલા બાગ હત્યાકાંડના આજે 100 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમૃતસર પહોંચી અને આજરોજ સવારે શ્રદ્ધાંજલિ અર્પી. આ સમયે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ, નવજ્યોતસિંહ સિધ્ધુ ઉપસ્થિત રહ્યાં.
અમૃતસરના જલિયાંવાલા બાગ હત્યાકાંડના આજે 100 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. આજે શહીદોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમૃતસર પહોંચી અને આજરોજ સવારે શ્રદ્ધાંજલિ અર્પી. આ સમયે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ, નવજ્યોતસિંહ સિધ્ધુ ઉપસ્થિત રહ્યાં.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગઇકાલે રાતે અમૃતસર પહોંચી ગયા હતા. રાહુલ ગાંધીએ અકાલ તખ્ત ગોલ્ડન ટેમ્પલમાં દર્શન કર્યા. આ દરમિયાન તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ઉપસ્થિત રહ્યાં હતા. જો કે શહીદોને શ્રધ્ધાંજલીને આપવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને પંજાબના રાજ્યપાલ પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને શહીદોની યાદમાં સિક્કો અને ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવશે. ગતરોજ અમૃતસરમાં શહીદોની યાદમાં કેન્ડલમાર્ચ કાઢવામાં આવી હતી. જલિયાંવાલા બાગ હત્યાકાંડ આજથી 100 વર્ષ પહેલા 13 એપ્રિલ 1819માં થયો. ત્યારે વૈશાખી હતી અને જલિયાંવાલા બાગમાં અંદાજે 15થી 20 હજાર લોકો પંજાબના 2 નેતાની ધરપકડ અને રોલેટ એક્ટના વિરોધમાં સભા કરી રહ્યા હતા.
આ સમયે બ્રિટિશ સરકારે જલ્લાદ જનરલ ડાયરને અમૃતસર મોકલ્યો. જનરલ ડાયર 90 સૈનિકોને લઇ સાંજના 4 વાગ્યે જલિયાવાલા બાગ પહોંચ્યો અને સભા કરી રહેલા લોકો પર બેફામ ગોળીબાર કર્યો. જેમાં 10 મિનિટમાં 1650 રાઉન્ડ ગોળીબાર કરાયો હતો. આ દિવસે 1 હજારથી વધુ લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. જો કે બ્રિટિશ સરકાર 379 લોકોની મોતનો આંકડો બતાવે છે. જ્યારે 120 મૃતદેહ તો જલિયાવાલા બાગના કૂવામાંથી જ મળ્યા હતા.