વાર્નિશ નોટોનો દુનિયાના ઘણા દેશોમાં ઉપયોગ થઇ રહ્યો છે. એના સારા અનુભવને જોતા રિઝર્વ બેંકે દેશમાં એને અજમાવવાનો નિર્ણય કર્યો છે. હાલ એની શરૂઆત 100 રૂપિયાની નોટથી થશે.
આરબીઆઇ જલ્દીથી 100 રૂપિયાની નવી અને ખાસ નોટ જારી કરશે. આરબીઆઇએ પોતાના વર્ષના રિપોર્ટમાં કહ્યું છે કે જલ્દી જ 100 રૂપિયાની વાર્નિશ નોટ માર્કેટમાં આવશે. એને પહેલા ટ્રાયલના આધાર પર જારી કરવામાં આવશે. ખાસ લેયર વાળી નોટની ઉંમર લાંબી હોય છે એટલે કે એ જલ્દી ફાટશે નહીં.
વાર્નિશ નોટનો દુનિયામાં ઘણા દેશોમાં ઉપયોગ થઇ રહ્યો છે. એના સારા અનુભવને જોતા રિઝર્વ બેંકે દેશમાં એને અજમાવવાનો નિર્ણય કર્યો છે. હાલ એની શરૂઆત 100 રૂપિયાની નોટથી થશે.
આપણા ઘરોમાં મોજૂદ લાકડીઓના ફર્નિચર પર આપણે એક ચમકદાર અને પારદર્શી લેયર ચઢેલું જોઇએ છીએ, જેનાથી એની ઉંમર વધી જાય છે. બરોબર એવી જ રીતે નોટો પર પણ એક પાતળું લેયર ચઢેલુ હશે, જે એને ગંદકીથી બચાવશે અને નોટ જલ્દી ખરાબ થશે નહીં. નોટ પ્રિન્ટિંગ બાદ એની પર વાર્નિશ કરવામાં આવે છે જો કે એનાથી નોટનો ખર્ચ વધી જશે.
હાલની નોટ જલ્દી ખરાબ થઇ જાય છે. આ જલ્દીથી ફાટી જાય છે અથવા મેલી થઇ જાય છે. રિઝર્વ બેંકને દર વર્ષે લાખો કરોડો રૂપિયાની ગંદી કાપેલી ફાટેલી નોટ રિપ્લેસ કરવી પડે છે. સામાન્ય રીતે દર પાંચમાંથી એક નોટ દર વર્ષે હટાવવી પડે છે. એની પર એક મોટી રકમ ખર્ચ થાય છે. આ સમસ્યાછી છુટકારો મેળવવા માટે દુનિયાના ઘણા દેશ પ્લાસ્ટિક નોટોનો ઉપયોગ કરે છે.
ઉલ્લેખનીય છે કે હાલની 100 રૂપિયાની નવી ચલણી નોટની બીજી બાજુ પર પાટણની રાણકી વાવની તસવીર છે. આ ચલણી નોટનો રંગ આછો જાંબુડિયો છે. જેનો આકાર 66 મિલીમીટર X 142 મિલીમીટર છે. તેમજ દરેક ચલણી નોટની જેમ આ નવી નોટ પર પણ અશોક સ્તંભ, બાંહેધરી નિવેદન, રિઝર્વ બૅન્કના વર્તમાન ગવર્નર ઉર્જિત પટેલના હસ્તાક્ષર ઉપરાંત અન્ય લાક્ષણિકતાઓ છે.