જો તમારું ઑનલાઇન ટ્રાન્જેક્શન કોઇ કારણોસર ફેલ થઇ જાય છે અને 1 દિવસની અંદર રૂપિયા નથી મળતી તો તમને દર દિવસે 100 રૂપિયા મળશે. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI) એ એક નોટિફિકેશન જારી કરીને કહ્યુ કે, ટ્રાન્જેક્શન ફેલ થવા પર 1 દિવસની અંદર ગ્રાહકોને રૂપિયા પાછા ના મળે ત્યાં સુધી બેંક તથા ડિજિટલ વૉલેટ્સ તરફ દરરોજ 100 રૂપિયાની પેનલ્ટીની ચૂકવણી કરવી પડશે.
ટ્રાન્જેક્શન ફેલ થવા પર 1 દિવસની અંદર જો ગ્રાહકોને રૂપિયા પાછા ના મળે ત્યાં સુધી દરરોજ બેંકની પેનલ્ટી
RBI એ તમામ ઑપરેટર્સ અને અધિકૃત પેમેન્ટ સિસ્ટમ્સને નોટિફિકેશન જારી કરીને આ વાત કરી
ATM અને માઇક્રો ATM માં ફેલ થનારા ટ્રાન્જેક્શન્સ માટે એકાઉન્ટમાં રૂપિયા પહોંચાડવા માટે 5 દિવસનો સમય નક્કી
આ પગલાથી ગ્રાહોકમાં કોન્ફિડન્સ વધશે અને પ્રોસિંસિંગમાં યૂનિફોર્મિટી આવશે
નવો નિયમ યૂનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI), ઇમીડિએટ પેમેન્ટ સિસ્ટમ (IMPS), ઇ-વૉલેટ્સ , કાર્ડ ટૂ કાર્ડ પેમેન્ટ, નેશનલ ઑટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH) પર વધારે લાગૂ થાય છે. RBI તમામ ઑપરેટર્સ અને અધિકૃત પેમેન્ટ સિસ્ટમ્સનો નોટિફિકેશન જારી કરીને આ વાત કરી.
Harmonisation of Turn Around Time (TAT) and customer compensation for failed transactions using authorised Payment Systemshttps://t.co/bHsZOjmeVj
રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI) ના સ્ટેકહોલ્ડર્સની સાથે વાતચીત કર્યા પછી ફેલ ટ્રાન્જેક્શનના રૂપિયા એકાઉન્ટમાં ના પહોંચે તે માટે ટાઇમફ્રેમ અને દંડની રકમ નક્કી કરવામાં આવી. આ પગલાથી ગ્રાહકોમાં કોન્ફિડન્સ વધશે અને આ સાથે ફેલ ટ્રાન્જેક્શનની લેવડદેવડના પ્રોસેસમાં યૂનિફોર્મિટી આવશે.
ડિજિટલ ટ્રાન્જેક્શન સિવાય RBI એ નૉન ડિજિટલ ટ્રાન્જેક્શન માટે ટાઇમલાઇન નક્કી કરી છે. ATM અને માઇક્રો ATM માં ફેલ ટ્રાન્જેક્શનને કારણે એકાઉન્ટમાં રૂપિયા પહોંચવા માટે 5 દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ પછી દરરોજ 100 રૂપિયાનો દંડ છે. પૉઇન્ટ ઑફ સેલ (કાર્ડ સ્વાઇપ મશીન) અને ઑનલાઇન પેમેન્ટ્સના મામલામાં આ સમયગાળો 5 દિવસનો જ હશે.
RBI ના નોટિફિકેશન અનુસાર, ''જ્યાં વિત્તીય વળતરની વાત છે તો ગ્રાહકોના એકાઉન્ટમાં જલ્દીથી પહોંચી જવુ જોઇએ, ગ્રાહકોની તરફથી ફરિયાદ દાખલ કરવાની રાહ ના જોવી જોઇએ.''