રત્ન કલાકારોના કોરોના ટેસ્ટના મામલે આરોગ્યમંત્રી કુમાર કાનાણીની અધ્યક્ષતામાં બેઠક પૂર્ણ થઇ છે જે બાદ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ખાનગી લેબ રેપીડ ટેસ્ટ કરી શકશે અને આ ટેસ્ટિંગનો ખર્ચ 100 રૂપિયાથી પણ ઓછો હશે અને ટેસ્ટિંગ કીટ મહાનગર પાલિકા ફ્રી આપશે. તમામ ઉદ્યોગકારો આ રેપિડ ટેસ્ટ કરાવી શકશે.
રત્નકલાકારોનો કોરોના ટેસ્ટ નહી કરવા મામલે આરોગ્યમંત્રી કુમાર કાનાણીની અધ્યક્ષતામાં મીટીંગ યોજાઈ હતી. આ મીટીંગમાં પાલિકા.કમિશ્નર, મેયર, સુરતના હીરા ઉદ્યોગકારો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા. જે બાદ બેઠક માં સુખદ નિરાકરણ આવ્યું હોવાનું ઉદ્યોગકારો આગેવાનો જણાવી રહ્યા છે.
તાબડતોડ બેઠક અને પછી મોટો નિર્ણય
સુરતના રત્નકલાકારોના કોરોના ટેસ્ટ નહીં કરવા મામલે વિવાદ છેડાયો હતો. કોરોના ટેસ્ટ ના થવાને કારણે રત્નકલાકારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે આજ રોજ સુરત મુન્સિપલ કમિશ્નર, આરોગ્ય વિભાગ અને ઉદ્યોગકારો સાથે તાબડતોબ એક બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રત્નકલાકારોનો કોરોના ટેસ્ટના ચાર્જ નહીં વસૂલવા આરોગ્યમંત્રીએ ભલામણ કરી હતી.
ફ્રીમાં કિટ આપશે મનપા
રેપીડ ટેસ્ટ ખાનગી લેબમાં કરાવી શકાશે તેમજ આ અંગે ખર્ચ માત્ર 100 રૂપિયા થી ઓછો મિનિમમ થશે. આટલું જ નહીં ટેસ્ટિંગ કીટ મહાનગર પાલિકા ફ્રીમાં આપશે તેમ આરોગ મંત્રી કુમાર કાનાણી એ જણાવ્યું છે. આરોગ્ય મંત્રી એ વધુ માં જણાવ્યું હતું કે રેપીડ ટેસ્ટ વધારવા માટે કોઈ પણ લેબ આ માટે રજીસ્ટ્રેશન કરાવશે એટલે ટેસ્ટિંગ માટેની એક ઝડપી અને મોટી વ્યવસ્થા ઉભી થશે અને લેબ મિનિમમ ખર્ચ લેશે.
બંછાનિધિપાનીએ કરી આ અપીલ
સુરત શહેરમાં રત્નકલાકારોમાં કોરોનાનું સંક્રમણ ખૂબ વધ્યું છે. આ અંગે મનપા કમિશ્નર બંછાનિધિપાનીએ સુરત માં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે જે રત્નકલાકારો પોતાના વતનથી સુરત પરત ફરી રહ્યા છે. તેઓ પોતે વતનથી આવતાની સાથે જાતે જ ઘરે 7 દિવસથી હોમ કોરોન્ટાઇન રહે અને ત્યાર બાદ પોતે અને જે લોકો કામ કરવા જાય છે તે ટેસ્ટ થયા બાદ જ કામ ચાલુ કરે તેમ અપીલ કરી હતી.