કોરોનામાંથી બેઠા થનાર લોકો હવે વાળ ખરવાની નવી સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના દર્દીઓ વાળ ફરવાની ફરિયાદ કરી રહ્યાં છે.
કોરોનામાંથી બેઠા થનાર લોકો માટે નવી મુસિબત
કોરોના દર્દીઓ હવે વાળ ખરવાની સમસ્યાથી પીડિત
દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલમાં સેંકડો લોકોની ફરિયાદ
દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું કે દરરોજ 4 થી 5 લોકોની વાળ ખરવાની ફરિયાદ આવી રહી છે. મે મહિનાથી વાળ ખરવાના કેસો વધી રહ્યાં છે.
મે પછી વાળ ખરવાની સમસ્યા બમણી થઈ
ડોક્ટરો પણ જણાવી રહ્યાં છે સામાન્ય રીતે કોરોનાના દર્દીઓ સાજા થયાના એક મહિના પછી વાળ ખરવાનો અનુભવ થતો હોય છે. કેટલાક કિસ્સામાં તો જ્યાં સુધી કોરોના મટે નહીં ત્યાં સુધી વાળ ખરવાનું ચાલુ રહે છે.
તાવ, તણાવ, હોર્મોન ફેરફારને કારણે વાળ ખરે છે
ડોક્ટરોએ જણાવ્યું કે ખાવાપીવાની ટેવ, સંક્રમણ દરમિયાન તાવ, તણાવ કે ચિંતા તથા હોર્મોન ફેરફાર જેવા કારણોને લીધે વાળ ખરવાનું શરુ થતું હોય છે.
વિટામીન ડી અને બી-12 ની કમી પણ કારણ બની શકે
ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જરીના સિનિયર ડોક્ટર શાહીન નુરેજદાને કહ્યું કે અમે વાળ ખરવાની ફરિયાદ કરનાર રોગીઓની સંખ્યામાં બમણો વધારો જોય છે. પોષ્ટિક ભોજન, વજનમાં અચાનક ફેરફાર, હોર્મોન ગરબડ અને વિટામીન ડી અને બી 12 ની કમીને કારણે પણ સંક્રમણ પછી મોટી સંખ્યામાં વાળ ખરવાનું મુખ્ય કારણ છે.
વાળને ખરતા કેવી રીતે અટકાવવા
ડોક્ટરોનું સૂચન છે કે કોરોનામાંથી બેઠા થયા બાદ વિટામીન અને આયરનથી ભરપૂર ભોજન લેવું જોઈએ. આયરનની કમી વાળ ખરવામાં વધારો કરી શકે છે જ્યારે પ્રોટીનયુક્ત, સંતુલિત ભોજન વાળને ખરવાનું ઓછું કરે છે.