ભારતમાં 10 કરોડ લોકો એવા છે કે જેમણે હજું પણ વેક્સિનનો બીજો ડોઝ નથી લીધો. જેતી સરકાર પણ ચિંતામાં મુકાઈ ગઈ છે. સાથે નીતિ આયોગે બધાને વેક્સિનનો બીજો ડોઝ લેવા અપીલ કરી છે.
10 કરોડ લોકોએ નથી લીધો વેક્સિનનો બીજો ડોઝ
નીતિ આયોગના સદસ્યએ ચીંતા વ્યક્ત કરી
લોકો વેક્સિનનો બીજો ડોઝ લે તેવી અપીલ કરવામાં આવી
ભારત હાલ થોડાકજ કલાકોમાં હવે વેક્સિનેશનનો આંકડો 100 કરોડને તઈ જવાનો છે. પરંતુ હવે આ મુદ્દે એક ગંભીર સમસ્યા સામે આવી છે. દેશમાં કુલ 10 કરોડ લોકો એવા છે કે જેમણે વેક્સિનનો પહેલો ડોઝ લો લીધો છે પરંતુ તેમણે બીજો ડોઝ નથી લીધો.
વીકે પૉલે ચિંતા વ્યક્ત કરી
સમગ્ર મામલે નીતિ આયોગના સદસ્ય વીકે પોલ દ્વારા જે બીજી ડોઝ ન લેનારા લોકોને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સાથેજ તેમણે લોકોને અપીલ કરી છે કે જે પણ લોકોનો બીજો ડોઝ બાકી છે તે લોકો પહેલા બીજો ડોઝ લગાવે જેથી કરીને કોરોના સામેની લડાઈમાં ભારત સંક્રમણને મ્હાત આપી શકે.
10 કરોડ લોકોએ નથી લીધો બીજો ડોઝ
વીકે પૉલનું કહેવું છે કે હજું પણ 10 કરોડ લોકો એવા છે કે જેમણે વેક્સિનનો પહેલો ડોઝતો લીધો છે પરંતુ તેમણે વેક્સિનનો બીજો ડોઝ નથી લીધો. સાથેજ તેમણે લોકોને એવી અપીલ કરી છે કે વેક્સિને લઈને જે પણ ડર છે તે ડરને દૂર કરો અને વેક્સિનનો બીજો ડોઝ લગાવો. જેથી કોરોનાને મ્હાત આપી શકાય.
બીજા ડોઝ પછી ઈમ્યુનીટી વધે છે
વીકે પૌલે કહ્યું કે વેક્સિના એક ડોઝથી આંશિક રીતે ઈમ્યુનિટી વધતી હોય છે. પરંતુ જેણે વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેમનામાં ઈમ્યુનીટી વધારે હોય છે. બૂસ્ટર ડોઝ મામલે તેમણે કહ્યું કે વૈજ્ઞાનિકોએ હાલ બૂસ્ટર ડોઝની કોઈ જરૂર નથી તેવું કીધું છે. જોકે અમેરિકા સહિત અન્ય દેશોએ બૂસ્ટર ડોઝની મંજૂરી આપી દીધી છે.
બ્રિટેનમાં 223 લોકોના કોરોનાને કારણે મોત
ઉલ્લેખનીય છે કે ભારતમાં હાલ કોરોનાના કેસ ઘટી રહ્યા છે. પરંતુ હજું પણ ખતરો ટળ્યો નથી. બ્રિટેન જેવા દેશોમાં હવે કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં બ્રિટેનમાં 223 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. જેથી ભારતે પણ ચેતી જવાની જરૂર છે.