તાજતેરમાં ભારે ચર્ચામાં રહેલ એવા દિલ્હીમાં તબલીગી જમાતના એક ખાનગી પોગ્રામમાં અનેક લોકો ગયા હોવાની આશંકા ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દર્શાવવામાં આવી રહે છે. જમાતમાં દેશનાં 11 રાજ્યોના લોકો સામેલ થયા હોવાનું સામે આવ્યું છે. ગુજરાતનાં પણ 100થી વધુ લોકો દિલ્હી ગયા હોવાની માહિતી મળી છે. બીજી તબલીગી જમાત શું છે?
ગુજરાતના 100 જેટલા લોકો તબલીગી જમાતમાં સામેલ થયા હતા
ભાવનગર રેન્જ આઈજીએ તપાસ માટે સીટની રચના કરી
તબલીગી જમાત શું છે?
દિલ્હીના તબલીગી જમાત કાર્યક્રમમાં કોરોના વાયરસનાં સંક્રમણનો સૌથી મોટો કેસ સામે આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અગાઉ ભાવનગર રેન્જ આઈજી અશોક યાદવે ખુલાસો કર્યો હતો કે સુરતના 76, ભાવનગરના 13, બોટાદના 4, મોરબીના 3, ઘોઘાના 2, મહુવાના 1 અને તળાજાના 1 આમ કુલ 100 વ્યક્તિઓ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. હજુ પણ કોઇ ગયું છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે.જેમાંના 1નું કોરોનાથી મોત નિપજ્યું છે. આ અંગે ભાવનગર આઈ.જી અશોક યાદવ અને સુરત મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું. મહત્વનું છે કે, આ મામલે ભાવનગર રેન્જ આઈજીએ તપાસ માટે સીટની રચના કરી છે. આ ટીમમાં DySP, LCB અને SOG સહિતના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સુરત મનપા કમિશનરે માહિતી આપી છે કે, દિલ્હીના નિઝામુદ્દીન તબલીગી જમાતમાં સુરતના પણ 76 લોકો ગયા હતા. આ અંગે સુરત મનપાએ તમામ 76 લોકોની શોધ શરૂ કરી છે. આ તમામને શોધીને કોરોન્ટાઇન કરવામાં આવશે. બીજી તરફ મોરબીથી દિલ્હીના નિઝામુદ્દીન ત્રણેયના ફોન ટ્રેસિંગના આધારે લીંક મળી હતી. ત્રણેયને મેડિકલ ચેકઅપ માટે સિવિલ લવાયા છે. સાથે જ ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા લોકોને પકડવા માટે તપાસના આદેશ અપાયા છે.
તબલીગી જમાત શું છે?
ભારતમાં મોઘલ શાસનમાં કેટલાયે લોકોએ ઈસ્લામ ધર્મ અપનાવ્યો હતો. છતાં તેઓ હિંદૂ પરંપરા અને રીત-રિવાજ અપનાવી રહ્યાં હતા. ભારતમાં અંગ્રેજોના શાસન પછી આર્ય સમાજે તેમને ફરી હિંદુ બનાવવાનું અભિયાન આદર્યું છે. તો સામે મૌલાના ઈલિયાસ કાંધલવીએ ઈસ્લામના શિક્ષણનું કામ શરૂ કર્યું છે. આ માટે મૌલાનાએ 1926-27માં દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાતની રચના કરી છે. ફરી હિંદુ ધર્મ અપનાવતા લોકોને ઈસ્લામમાં જ રાખવા એ આ જમાતનું મુખ્ય કામ હતું. તબલીગી જમાતનો મતલબ થાય છે અલ્લાહે કહેલી વાતોનો પ્રચાર કરવો. અલ્લાહે કહેલી વાતોનો પ્રચાર કરનારો સમૂહ એટલે તબલીગી જમાત.
જ્યારે મરકજનો મતલબ થાય છે કે તબલીગી જમાતને મળવાનું સ્થળ છે. તબલીગી જમાત સાથે જોડાયેલા લોકો પારંપરિક ઈસ્લામ ધર્મમાં માને છે. તબલીગી જમાતનું હેડક્વાટર દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં જ છે. તબલીગી જમાતનું કામ આજે દુનિયાભરના 213 દેશોમાં ચાલી રહ્યું છે. મરકજમાંથી જ અલગ અલગ જગ્યાએ જવા માટે જમાત નીકળે છે. 3 દિવસ, 5 દિવસ, 10 દિવસ અને 40 દિવસની પણ જમાત હોય છે. એક જમાતમાં 8થી 10 લોકો હોય છે, જેમાંથી 2 લોકો જમવાનું બનાવે છે. જમાતના લોકો સવારે-સાંજે શહેરોમાં નિકળે છે અને લોકોને નજીકની મસ્જિદમાં પહોંચવાનું કહે છે. મસ્જિદમાં લોકો પહોંચે એટલે તેમને રોજા રાખવા અને નમાજ પઢવાનું કહેવાય છે.