પાકિસ્તાન જેલમાં બંધક વધુ 100 માછીમારો મુક્ત થશે. મુક્ત કરવામાં આવેલા કેદીઓને આજે બોર્ડર પર લાવવામાં આવશે. ત્રીજા તબક્કાના 100 માછીમારો પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવશે.
પાકિસ્તાન જેલમાં બંધક વધુ 100 માછીમારો મુક્ત થશે. મુક્ત કરવામાં આવેલા કેદીઓને આજે બોર્ડર પર લાવવામાં આવશે. ત્રીજા તબક્કાના 100 માછીમારો પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવશે.
મહત્વનુ છે કે, પાકિસ્તાન દ્વારા 360 માછીમારો મુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે. પાકિસ્તાને 2 તબક્કામાં 200 માછીમારોને મુક્ત કર્યા છે. ત્યારે હવે પાકિસ્તાન ત્રીજા તબક્કામાં વધુ 100 માછીમારોને મુક્ત કરશે.
ઉલ્લેખનીય છે કે, પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ વ્યાપેલો છે. આ તણાવ વચ્ચે કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં હજી પણ છાશવાર સીઝફાયરની ઘટના બની રહી છે તે વચ્ચે પાકિસ્તાને પોતાની જેલમાં બંધ 100 જેટલા માછીમારોને મુક્ત કરવાની જાહેરાત કરતા બંન્ને રાષ્ટ્રો વચ્ચે સદભાવના સ્થપાય તેવા પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે.