સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપના C R Patil કિલ્લે બંધીની જેમ દરેક દરવાજે પહેરેદાર ગોઠવીને ચૂંટણી જીતવાના અભેદ્ય કિલ્લા બનાવી રહ્યા છે પણ સુરેન્દ્રનગરમાં ભાજપમાં ભંગાણ થયું
સુરેન્દ્રનગર મુળી ભાજપમાં ભંગાણ
ઉમરડાના સરપંચ સહિત 100 કાર્યકરો કોંગ્રેસમાં
ઋત્વિક મકવાણાએ ખેસ પહેરાવી સ્વાગત કર્યું
સુરેન્દ્રનગરમાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપમાં ભંગાણ જોવા મળી આવ્યું છે. મુળી તાલુકામાં કોંગ્રેસનું જનજાગૃતિ અભિયાન સામે આવ્યું છે. આ બેઠકમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. ઉમરડા ગામના સરપંચ સહિત 100 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ કાર્યકરોને કોંગ્રેસનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું
ચૂંટણી આયોગની રાજ્ય સરકારના વકીલ પેનલ સાથે બેઠક કરી હતી. એક વોર્ડ એક બેઠક મુદ્દે કેસ લડનાર વકીલ પેનલ સાથે બેઠક કરવામાં આવી હતી.
ચૂંટણીની તારીખોને લઇને યોજાશે બેઠક
SCમાં ચુકાદો સરકાર તરફેણમાં ન આવે તો પણ ચૂંટણી યોજાશે. આજે સાંજે ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી શક્યતા છે. રાજ્ય ચૂંટણીપંચે તમામ સ્ટાફની રજા રદ્દ કરી દીધી છે.
શું છે સંભાવનાઓ
સૌપ્રથમ 6 મનપાની ચૂંટણીઓ કરવામાં આવશે
21 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કાનું મતદાન હાથ ધરાશે
બીજા તબક્કામાં તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાશેઃ સૂત્ર
81 નગરપાલિકાની ચૂંટણીઓ પણ બીજા તબક્કામાં યોજાશેઃ સૂત્ર