જમ્મૂ કાશ્મીરમાં વધારે એર્ધસૈનિક દળોને તૈનાત કરવા આદેશ કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે વધુ 100 કંપનીઓ તૈનાત કરવા આદેશ કર્યો છે. જેને લઈને CRPFની 50 અને SSBની 30 કંપનીઓનેતૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત ITBPની 10 અને BSFની 9 કંપનીઓ તૈનાત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આતંકવાદી ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદી સરકાર કોઇપણ પ્રકારનું જોખમ ખેડવા માગતી નથી. આતંકવાદી 15 ઓગસ્ટ અથવા તેના આસપાસના દિવસોમાં આતંકી ગતિવિધિઓને અંજામ આપવાની ફિરાકમાં રહેતા હોય છે.
કાશ્મીર આતંકવાદનો ડંશ છેલ્લા કેટલાય વર્ષોથી સહન કરી રહ્યું છે. કેટલીક વખત ઘાટીના રસ્તે દેશના વિભિન્ન હિસ્સામાં આતંકીઓ હુમલાને અંજામ આપવાનો મનસૂબો ધરાવ્યો હતો જેનો સુરક્ષા એજન્સીએ પર્દાફાશ કર્યો હતો.
પાકિસ્તાન દ્વારા સીઝફાયર ઉલ્લંઘન કરવાની ઘટનાથી પણ આતંકીઓને ઘાટીમાં ઘૂસણખોરી કરવાની તક મળે છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં પાકિસ્તાન દ્વારા કેટલીય વખત સીઝફાયર ઉલ્લંઘન કરવામાં આવેલ છે. મંગળારના રોજ જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં LOC પર પાકિસ્તાને 3 સ્થળે સીઝફાયરનું ઉલ્લંઘન કરેલ, 23 જુલાઇની બપોરે 12 વાગ્યાની આસપાસ પાકિસ્તાની સેનાએ LOC નજીક બેફામ ગોળીબાર કર્યું હતું.
સેનાના પ્રવક્તાએ કહ્યું કે, પાકિસ્તાનની સેનાએ કૃષ્ણઘાટી અને શીપર સેકટરોમાં બીજા યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. પાકિસ્તાનના સીઝફાયરના ઉલ્લંઘનનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. સોમવારે રાજૌરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં પાકિસ્તાની ગોળીબારમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો હતો.
આતંકવાદીઓ સાથે અથડામણમાં થયો હતો શહીદ
વડોદરાનો આર્મી જવાન જમ્મુ કાશ્મીરમાં શહીદ થયો હતો. આતંકવાદીઓ સાથેની અથડામણમાં જવાન શહીદ થયો હતો. ભારતીય સેનામાં ફરજ બજાવતા અને વડોદરાના નવાયાર્ડમાં રહેતા 24 વર્ષીય આરીફ પઠાણ આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયા. આથી શહીદ આરીફ પઠાણ મોહમ્મદ સફીના પાર્થિવદેહને વડોદરા લાવવામાં આવ્યો હતો.
પુલવામામાં હુમલા બાદ મોદી સરકાર એક્શનમાં
પુલવામામાં હુમલા બાદ મોદી સરકાર એક્શનમાં આવી છે. એનએસએ અજિત ડોભાલે ઇમરજન્સી બેઠક બોલાવી હતી. અજીત ડોભાલે સીઆરપીએના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં જોઇન્ટ સેક્રેટરી અને સ્પેશિયલ સેક્રેટરી ભાગ લઇ રહ્યા છે ત્યારે ગૃહ સચિવને ભૂટાનથી પરત બોલાવવામાં આવ્યા હતા