દેશભરમાં ગણેશ મહોત્વસની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગાંધીનગરથી દુ:ખના સમાચાર સામે આવ્યા છે ગોબલેશ્વર નજીક 10 જેટલા યુવકો ગણેશ વિસર્જન દરમિયાન નદીમાં ડુબી ગયા હતા. જેમાં એક યુવકનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
તો 7 જેટલા યુવકોને ફાયર વિભાગની ટીમે બહાર કાઢી લીધા છે. મહત્વનું છે કે આ દૂર્ઘટનામાં હજુ 2 યુવકો લાપતા રહેતા ફાયર વિભાગની ટીમે તેમની શોધખોળ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં સુરતમાં ગણપતિની મૂર્તિ લઈને આવી રહેલાં લોકો પર અચાનક વીજ તાર પડતા ચારેકોર અરેરાટી થઇ ગઇ હતી. જ્યારે વીજ તાર પડતા એક વ્યક્તિનુ મોત થયુ હતું.