ધનતેરસ પર સોના-ચાંદીની વસ્તુઓ, વાસણ, સાવરણી અને કોથમીર ખરીદવી ખૂબ શુભ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ દિવસે અમુક વસ્તુઓની ખરીદી અશુભ માનવામાં આવે છે.
ધનતેરસ પર ન ખરીદો આ વસ્તુઓ
આ 10 વસ્તુઓ માનવામાં આવે છે અશુભ
જાણો તેના વિશે
ધનતેરસ પર સોના-ચાંદીની વસ્તુઓ, વાસણ, સાવરણી અને કોથમિર ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે અમુક વસ્તુઓ ખરીદવી અશુભ માનવામાં આવે છે. આવો જાણીએ મંગળવાર, 2 નવેમ્બરે આવી રહેલી ધનતેરસે તમારે કઈ વસ્તુઓ ન ખરીદવી જોઈએ. .
સ્ટીલની વસ્તુઓ
ધનતેરસના દિવસે ઘણી લોકો સ્ટીલના વાસણ ઘરે લાવે છે જ્યારે તેની ખરીદી ન કરવી જોઈએ. સ્ટીલ શુદ્ધ ધાતુ નથી. તેના પર રાહુનો પ્રભાવ પણ વધુ હોય છે. તમારે ફક્ત પ્રાકૃતિક ધાતુઓની જ ખરીદી કરવી જોઈએ. માનવ નિર્મિત ધાતુમાં ફક્ત પીતળ ખરીદી શકાય છે.
એલ્યુમિનિયમનો સામાન
ધનતેરસ પર અમુક લોકો એલ્યુમિનિયમના વાસણ અથવા સામાન પણ ખરીદી લે છે. આ ધાતુ પર પણ રાહુનો પ્રભાવ વધુ હોય છે. એલ્યુમિનિયમને દુર્ભાગ્યનું સુચક માનવામાં આવે છે. તહેવાર પર એલ્યુમિનિયમની કોઈ પણ નવી વસ્તુઓ ઘરમાં ન લાવી જોઈએ.
લોખંડની વસ્તુઓ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, લોખંડને શનિદેવના કારક માનવામાં આવે છે. માટે લોખંડથી બનેલી વસ્તુઓને ધનતેરસ પર ભૂલથી પણ ખરીદવાની ભૂલ ન કરો. આમ કરવાથી તહેવાર પર ધન કુબેરની કૃપા નહીં થાય.
અણીદાર કે ધાર વાળી વસ્તુઓ
ધનતેરસના દિવસે ઘારદાર વસ્તુઓ ખરીદવાથી બચી. આ દિવસે ચપ્પુ, કાતર, પિન, સોઈ અથવા કોઈ ધારદાર સામાન ન ખરીદો. ધનતેરસ પર આ વસ્તુઓને ખરીદવી પણ શુભ નથી માનવામાં આવતી.
પ્લાસ્ટિકનો સામાન
ધનતેરસ પર અમુક લોકો પ્લાસ્ટિકની બનેલી વસ્તુઓ ઘરે લઈને આવે છે. જણાવી દઈએ કે પ્લાસ્ટિક સમૃદ્ધિ નથી આપતી. માટે ધનતેરસ પર પ્લાસ્ટિકથી બનેલો કોઈ પણ પ્રકારનો સામાન ઘરે ન લઈ જવો જોઈએ.
ચીની માટીના વાસણો
ધનતેરસ પર સેરામિકથી બનેલા વાસણ અથવા બુકે વગેરે ખરીદવાથી બચવું જોઈએ. આ વસ્તુઓ ટકતી નથી જેનાથી ઘરમાં બરકતની કમી રહે છે. માટે સીરામિકથી બનેલી વસ્તુઓ બિલકુલ ન ખરીદો.
કાચના વાસણો
ધનતેરસ પર અમુક લોકો કાંચના વાસણ અથવા બીજી વસ્તુઓ ખરીદે છે. કાચનો સંબંધ રાહુથી માનવામાં આવે છે. માટે ધનતેરસના દિવસે તેને ખરીદવાથી બચવું જોઈએ. આ દિવસે કાંચની વસ્તુઓનો ઉપયોગ પણ ન કરવો જોઈએ.
કાળા રંગની વસ્તુઓ
ધનતેરસના દિવસે કાળા રંગની વસ્તુઓને ઘરે ન લાવવી જોઈએ. ધનતેરસ એક ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. જ્યારે કાળો રંગ હંમેશા દુર્ભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. માટે ધનતેરસ પર કાળા રંગની વસ્તુઓ ન ખરીદવી જોઈએ.
ખાલી વાસણ ઘરે ન લાઓ
ધનતેરસના દિવસે જો તમે કોઈ વાસણ ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો ધ્યાન રાખો કે તેને ઘરમાં ખાલી ન લઈને આવો. ઘરમાં વાસણ લાવ્યા પહેલા તેમાં પાણી, ચોખા અથવા કોઈ બીજી સામગ્રી ભરી લો.