નવી દિલ્હી : ગત્ત 24 કલાક દરમિયાન ભારતે ટેરરિસ્ટ ઓફરેશનમાં ભારતીય સેનાએ સફળતાપુર્વક 10 આતંકવાદીઓને ઠાર કર્યા છે. શનિવારે આ માહિતી સેનાએ આપી છે. સેનાનાં અનુસાર તમામ આતંકવાદીઓ મોટા હથિયારોથી લેસ હતા. ઉલ્લેખનીય છે કે શનિવારે સવારથી જ સુરક્ષાદળોએ હિજબુદ મુજાહિદ્દીનનાં નવા પોસ્ટર બોય સબજાર અહેમદ બટને શનિવારે સવારે ઠાર માર્યો હતો.
સેનાએ માહિતી આપી છે કે સુરક્ષાદળોએ પાકિસ્તાન સમર્થિક આતંકવાદી તત્વોએ રમજાનનાં પાકિસ્તાન મહીનામાં જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવાનાં ઇરાદાથી કરવામાં આવી રહેલા પ્રયાસો નિષ્ફળ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે સબજારને ઠાર કરવામાં આવ્યા પહેલા શુક્રવારે મોડી રાત્રે જમ્મુ કાશ્મીરનાં પલવામાં જિલ્લામાં આતંકવાદીઓએ પેટ્રોલિંગ જવાનોનાં એક દળ પર હૂમલો કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં સેનાનાં વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરીને 3 આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
સજબારનો ખાતમો સેના માટે મોટી સફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર 25 વર્ષના સબજાર અહેમદ સબ ડોનનાં નામથી પણ કુખ્યા હતો. જો કે હિજબુલ મુહાજિહ્દીનનાં ટોપ કમાન્ડર સબજાર અહેમદની એન્કાઉન્ટરમા મોત થા બાદ ખીણમાં ફરીથી હિંસા ભડકી ઉઠી છે. હિંસક પ્રદર્શનો બાદ કાશ્મીરમાં શનિવારે બધો જ વ્યવહાર બંધ થઇ ગયો હતો. સુરક્ષાદળોનાં સંધર્ષ દરમિયાન અનંતનાગમાં એક વ્યક્તિ ઘાયલ પણ થયો હતો. બીજી તરફ પ્રદેશ સરકારે એકવાર ફરીથી ખીણમાં ઇન્ટરનેટ સેવાઓને ફરી અટકાવી દેવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે આજે જ સોશિયલ મીડિયા અને મોબાઇલ એપ્સ પર કાશ્મીરમાં લાગેલા બેનને હટાવાયો હતો.