નવી દિલ્હીઃ સામાન્ય વર્ગને આર્થિક રીતે નબળા લોકોને શિક્ષા અને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત આપવમાં સંવિધાન 124માં સંશોધન બિલને મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન બિલના સમર્થનમાં વધુ મતદાન થતા બિલ પાસ થયું છે. કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતે બિલને લોકસભામાં રજૂ કર્યું હતું. ત્યાર બાદ ઉગ્ર ચર્ચાઓ થઇ હતી.
લોકસભામાં 124માં બંધારણીય સુધારા બિલ પર મતદાન થયું હતું. 10 ટકા સવર્ણ અનામત બિલ પાસ થઇ ગયું છે. 326 માંથી બિલના સમર્થનમાં 323 મત પડ્યા છે. જ્યારે બિલના વિરૂદ્ધમાં 3 મત પડ્યા છે.
सामान्य श्रेणी के आर्थिक रूप से पिछड़े लोगों को नौकरियों और शिक्षण संस्थानों में दस प्रतिशत आरक्षण संबधी विधेयक लोकसभा में पारित। pic.twitter.com/WLT9S5pqoT
અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા-રાજ્યસભામાં 10% EBCને મંજૂરી મળ્યા બાદ દેશની 50% વિધાનસભાઓએ સમર્થન પ્રસ્તાવ પસાર કરવો પડશે. ગુજરાતમાં વિધાનસભા સત્રમાં સમર્થન પ્રસ્તાવ રજૂ થયા બાદ અમલનો માર્ગ મોકળો બનશે.
पहले जो भी आरक्षण का कोटा बढ़ाने के लिए प्रस्ताव आए थे वह संवैधानिक प्रावधान के बगैर आए थे। इसलिए कई ऐसे मामलों में न्यायालय ने आदेश को निरस्त किया था। पीएम मोदी की नीति और नीयत अच्छी हैः थावरचंद गहलोत केंद्रीय मंत्री pic.twitter.com/RhhQWTCuAx