માતા અને પુત્રે કરી હતી પિતાની હત્યા, લાશના ટુકડા કરીને ફ્રિજમાં મૂક્યા
પિતાના પરસ્ત્રી સાથેના સંબંધને કારણે માતા-પુત્રે કર્યું ખૌફનાક કામ
દિલ્હીના મહરૌલીમાં શ્રદ્ધા વોલ્કરની ઘાતકી હત્યા કેસની શાહી હજુ સુકાઈ નથી ત્યાં તો તેના જેવો બીજો એક કિસ્સો સામે આવ્યો છે. દિલ્હીના પાંડવ નગર વિસ્તારમાં મળેલા માનવ શરીરના ટુકડાનું રહસ્ય પોલીસે ઉકેલી નાખ્યું છે. હકીકતમાં દિલ્હી પોલીસને છેલ્લા થોડા સમયથી માનવ શરીરના કેટલાક ટુકડા મળતા હતા અને તેથી દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે આ કેસનું રહસ્ય ઉકેલવા એડી ચોટીનું જોર લગાવ્યું હતું અને તેને આખરે સફળતા મળી હતી. ક્રાઈમ બ્રાન્ચે માનવ શરીરના ટુકડા મળવાના કેસમાં આરોપી માતા અને તેના પુત્રની ધરપકડ કરી છે.
A woman along with her son arrested by Crime Branch in Delhi's Pandav Nagar for murdering her husband. They chopped off body in several pieces,kept in refrigerator & used to dispose of pieces in nearby ground: Delhi Police Crime Branch
શું બન્યું
પાંડવ નગરમાં રહેતા અંજન દાસ નામના વ્યક્તિને બીજી મહિલા સાથે સંબંધો હતા. આ વાત પત્ની પૂનમ અને પુત્ર દીપકને ગમતી નહોતી, તેઓ બન્ને તેમને પરસ્ત્રી સાથેનો સંબંધ તોડી નાખવાનું જણાવતા હતા તેમ છતાં પણ તેમણે સંબંધ ચાલુ રાખ્યો હતો અને આખરે એક દિવસ માતા અને પુત્રે ભેગા મળીને તેમનો કાંટો કાઢવાનો પ્લાન બનાવ્યો હતો.
કેવી રીતે કરી હત્યા
પૂનમ અને દીપકે સૌથી પહેલા તો અંજનદાસની ઘેનની ગોળીઓ આપીને સુવડાવી દીધા હતા ત્યાર બાદ તેમની હત્યા કરી નાખી અને તેમની લાશના ટુકડા કરીને ફ્રિજમાં રાખી દીધા અને જ્યારે પણ સમય મળે અને કોઈ જોઈ ન જાય તેવી રીતે આજુબાજુના વિસ્તારમાં લાશના કટકા ફેંકતા રહ્યાં હતા. 5 જુન 2022ના દિવસે પોલીસને પાંડવ નગર વિસ્તારમાંથી દુર્ગંધ આવતી હોવાનો મેસેજ મળ્યો હતો જે પછી પોલીસની ટીમ ત્યાં જઈને તપાસ કરતાં તેમને માનવ અંગોથી ભરેલી એક બેગ મળી હતી. આ પછી પોલીસે તેની તપાસ શરુ કરી દીધી હતી અને આખરે તેમણે હત્યારા માતા અને પુત્રની ધરપકડ કરી લીધી હતી. માતા અને પુત્રે ભેગા મળીને તેમના ઘરના સભ્યની હત્યા કરી નાખી હતી અને લાશના ટુકડા કરીને ફેંકી દીધા હતા.
શ્રદ્ધા હત્યા કાંડનો મુદ્દો ગરમ છે
દિલ્હીના મહરૌલી વિસ્તારમાં પણ શ્રદ્ધા હત્યાકાંડનો મુદ્દો હજુ ગરમ છે. 18 મે 2022ના દિવસે આફતાબ પૂનાવાલા નામના શખ્સે તેની લીવ ઈન પાર્ટનર શ્રદ્ધા વોલ્કરની હત્યા કરી હતી અને તેની લાશના 35 ટુકડા કરીને ફ્રિજમાં રાખ્યાં હતા. આરોપી આફતાબની પોલીસ પૂછપરછમાં આ ઘાતકી હત્યાનો બનાવ સામે આવ્યો હતો. હાલમાં પુરાવા ભેગા કરવા માટે પોલીસ આફતાબનો નાર્કો ટેસ્ટ કરાવી રહી છે.