OBC મુદ્દે કોંગ્રેસ નેતા અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
ચૂંટણી આવે ત્યારે મતબેંક તરીકે ઉપયોગ કરે છેઃ અમિત ચાવડા
ગુજરાતના રાજકારણમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં OBC સમાજને અનામતની માંગનો મુદ્દો ફરી ગાજ્યો છે. ગુજરાતની 52 ટકા વસ્તી ધરાવતા ઓબીસી સમાજને લાંબા સમયથી અન્યાય થતો હોવાની રાવ સાથે આજે OBC સમાજના આગેવાનો ગાંધીનગરમાં આયોગની કચેરી પહોચ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂટણીમાં વસ્તીના પ્રમાણમાં 27 ટકાથી વધુ અનામત મળવી જોઈએ તે સહીતની આ સમાજની વર્ષોથી માંગ છે. છતાં સરકાર દ્વારા આ દિશામાં આજ સુધી કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઇને આજે OBC સમાજના આગેવાનો કોંગ્રેસ નેતા અમિત ચાવડા સહીતનાઑની આગેવાનીમાં ગાંધીનગર કચેરી ખાતે દોડી ગયા હતા અને સરકાર વિરોધ આકરા પ્રહારો કર્યા હતા.
વાંધા સૂચનો માટે અમને 10 દિવસનો સમય આપ્યો છેઃ અમિત ચાવડા
OBC મુદ્દે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, OBCનું રાજકિય અસ્તિત્વ ખતમ કરી નાખવા સ્થાનિક ચૂંટણીઓમાં 10 ટકા અનામત દૂર કરી નાખી છે. વસ્તીના પ્રમાણમાં બજેટમાં હિસ્સો મળવો જોઈએ આ સહીતની માંગો સંતોષવાની વાત તો બાજુ પર રહી પરંતુ પછાત વર્ગના બોર્ડ નિગામોને પૂરતું બજેટ ન ફાળવવું અને એક પણ રૂપિયાની સહાય વગર ફક્ત ચૂંટણી આવે ત્યારે મત બેન્ક તરીકે ઉપયોગ કરાયો છે. વધુમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા અનામત હતી. જેને નાબૂદ કરી દેવામાં આવી છે જેનો રોષ ઉઠતાં આયોગની રચના કરવામાં આવી છે. જે આયોગને લાભ આપવાને બદલે તેમની વ્યવસ્થા પણ જળવાઈ નથી. આ મામલે વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું કર વાંધા સૂચનો માટે અમને 10 દિવસનો સમય આપ્યો છે તેમાં પણ જાહેર રજાઑ આવતી હોવાથી આ સમય પૂરતો નથી જેને વધારવો જોઇએ.
વસ્તી પ્રમાણે બજેટ ફાળવવામાં આવેઃ અમિત ચાવડા
ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાની રજૂઆત કરવા અમદાવાદ આવવા સહીત જોન વાઈઝ સુનાવણી અંગે જણાવાયુ છે જેંનો અમે વિરોધ કરીએ છીએ તેમ પણ અમિત ચાવડાએ ઉમેરી વાંધા સૂચનો સ્વીકારવા મામલતદાર કચેરીએ વ્યવસ્થા કરવી જોઇએ. તેવી માંગ ઉઠાવી હતી. અને જાતી આધારીત વસ્તી ગણતરી કરીને જ આગાળની કાર્યવાહી કરવી જોઇએ તેમ પણ જણાવ્યું હતું. વધુમાં જેમ શિક્ષણ અને નોકરીમાં 27 ટકા અનામત અપાઈ છે તેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ તેનું પાલન થવું જોઇએ. તથા બજેટમાં પણ રકમ ફાળવવી જોઈએ. જો સરકાર આ દિશામાં પગલાં નહીં ભારે તો આવનારા દિવસોમાં તેના માઠા પરિણામ ભોગવવા તૈયાર રહે તેમ અંતમાં અમિત ચાવડાએ ચીમકી આપી હતી.