સુરતમાં મ્યુકોર્માઇકોસિસથી અત્યાર સુધી કુલ 10 લોકોના મૃત્યુ, જેમાં નવી સિવિલમાં 7 અને સ્મીમેરમાં 3 દર્દીના મૃત્યુ નોંધાયા
સુરતમાં મ્યુકોર્માઇકોસિસથી વધુ 2 દર્દીના મૃત્યુ
સુરત નવી સિવિલમાં નર્મદાના 38 વર્ષીય પુરૂષનું મૃત્યુ
સુરતના 60 વર્ષીય લીલાબેનનું મ્યુકોર્માઇકોસિસથી મૃત્યુ
સુરતમાં મ્યુકોર્માઇકોસિસથી વધુ 2 લોકોના મૃત્યુ નિપજ્યા છે. સુરત નવી સિવિલમાં નર્મદાના 38 વર્ષીય પુરૂષનું મૃત્યુ થયું છે. તો સુરતના 60 વર્ષીય લીલાબેનનું પણ મ્યુકોર્માઇકોસિસથી મૃત્યુ નિપજ્યું છે. સુરતમાં મ્યુકોર્માઇકોસિસથી કુલ 10 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. જેમાં નવી સિવિલમાં 7 અને સ્મીમેરમાં 3 દર્દીના મૃત્યુ સહિત કુલ 10 લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે. તો આ સાથે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કુલ 27 દર્દીની સર્જરી કરાઈ છે. અને સુરતની સ્મીમેરમાં મ્યુકોરમાઇકોસીસના 9 દર્દીની સર્જરી કરવામાં આવી છે. હાલ સિવિલમાં 76 અને સ્મીમેરમાં 30 મ્યુકોરમાઇકોસીસના દર્દીઓ દાખલ છે.
વડોદરામાં એક દર્દીનું મૃત્યુ અને એક ડિસ્ચાર્જ
તો ગઈકાલે વડોદરામાં મ્યુકોર્માઇકોસિસના વધુ 9 દર્દીઓની સારવાર હેઠળ છે. તો વડોદરામાં મ્યુકોર્માઇકોસિસના 1 દર્દીનું મૃત્યુ અને 1 ડિસ્ચાર્જ થયા છે. દર્દીઓની સંખ્યા વધતાની સામે મ્યુકોર્માઇકોસિસના ઇન્જેક્શનો ખુટી પડ્યા છે. SSG અને ગોત્રી હોસ્પિટલમાં ઇન્જેક્શનનો સ્ટોક ખૂટ્યો છે. ઇન્જેક્શનનો સ્ટોક ખુટ્યા બાદ નવો સ્ટોક જ મંગાવાયો નથી.
જવલ્લે જ જોવા મળતો મ્યુકોર્માઇકોસિસ ફુગથી થતો ગંભીર રોગ છે. મ્યુકોર્માઇકોસિસ ફૂગ જીવસૃષ્ટિમાં બધે જ જોવા મળે છે. ખાસ કરીને માટીમાં વધુ જોવા મળે છે. મ્યુકોર્માઇકોસિસ ફૂગ માનવ શરીરમાં શ્વાસ કે ત્વચા પરના ઘા થકી પ્રવેશે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી વ્યક્તિમાં પ્રવેશેલી મ્યુકોર્માઇકોસિસની ફૂગ શરીર પર હાવી થઈ જાય છે અને પ્રસરવા લાગે છે.
હાઇ રિસ્ક ગ્રુપના વ્યક્તિ જેવા કે અનકંટ્રોલડ ડાયાબીટીઝ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, ડ્રગનું સેવન કરનાર, લાંબા સમયથી સ્ટિરોઇડ આપવામાં આવતું હોય, ભેજવાળો ઓક્સિજન લઇ રહ્યા હોય, કુપોષિત, અવિકસીત નવજાત બાળક, સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય, ત્વચા પરની કોઈ સર્જરી- ઘા કે દાઝેલી ત્વચા વાળી વ્યક્તિને મ્યુકોર્માઇકોસિસ રોગ થવાની સંભાવના વધુ છે.