સુરતમાં એક જ દિવસમાં આપઘાતની 10 ઘટનાઓ સામે આવતા ખળભળાટ મચી ગયો.
સુરત શહેરમાં આપઘાતના પ્રમાણમાં વધારો
એક જ દિવસમાં આપઘાતના 10 બનાવો
બુધવારે આપઘાતની 10 ઘટનાઓ નોંધાઇ
ડિપ્રેશન અને અન્ય કારણોસરથી લોકો જીવન ટૂંકાવી રહ્યાં છે. ડિંડોલીમાં બે વૃદ્ધોએ એકલતાના કારણે આપઘાત કર્યો છે. ડુમ્મસ, સચિન GIDC,પાંડેસરા અને ઉમરામાં 4 યુવાનોનો આપઘાત કર્યો છે.
વૃદ્ધો પણ જીવન ટુંકાવી રહ્યા છે
મજૂરાગેટમાં ક્રિષ્નાશ્યામ કોમ્પેલક્ષમાં મિલ બંધ થતા ડિપ્રેશનમાં વૃદ્ધે આપઘાત કર્યો હતો. જ્યારે રાંદેર ટેકરા ફળીયામાં સગીરાને લગ્નમાં જવાની ના પાડતા દવા પીને મોતને વહાલુ કરી લીધુ હતુ.
નજીવી બાબતમાં આપઘાત
કોઝવે રોડ પર વિજય પેલેસમાં ટિફિન બનાવવા બાબતે ઝઘડો થતા યુવતીએ ગળેફાંસો ખાધો હતો. નવાગામ ડિંડોલીમાં પણ આપઘાતની એક ઘટના બનીસચિન GIDCમાં એક યુવકે આપઘાત કર્યો જેનું કારણ સામે નથી આવ્યું
બેરોજગારીએ લીધો જીવ
પાર્લેપોઈન્ટ પાસે ખાનસાહેબની વાડીમાં રહેતા યુવકનો ધંધો ન ચાલતા આપઘાત કર્યો હતો. અડાજણના આભવામાં યુવાને એક બિમારી પીડાઈને આત્મહત્યા કરી હતી.
એકલતા આત્મહત્યા સુધી દોરી ગઈ
વેડરોડ પર એકલતાના કારણે એક આધેડે એસિડ પીને આત્મહત્યા કરી હતી. પાંડેસરામાં યુવકે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. ડિંડોલીમાં જગદંબાનગરમાં શ્રીહરી સોસાયટીમાં અસ્થમાથી કંટાળીને વૃદ્ધે આપઘાત કર્યો