દિલ્હીમાં 10 નવા કેસ આવ્યા બાદ દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા વધીને 97 થઈ ગઈ છે. બીજી બાજુ ઓમિક્રોનનું સંક્રમણ અત્યાર સુધીમાં 11 રાજ્યોમાં ફેલાયો છે.
દિલ્હીમાં અત્યાર સુધી 20 લોકો ઓમિક્રોન કેસો નોધાયા છે
24 કલાકમાં 7447 કોરોનાના નવા કેસ નોધાયા
દેશમાં ઓમિક્રોનનું સંક્રમણ અત્યાર સુધીમાં 11 રાજ્યોમાં ફેલાય ચુક્યુ છે.
दिल्ली में ओमिक्रोन के 10 नए मामले सामने आए हैं, कुल मामलों की संख्या अब 20 हो गई है इनमें से 10 लोगों को डिस्चार्ज कर दिया गया है: दिल्ली के स्वास्थ्य मंत्री सत्येंद्र जैन#OmicronVariant
દિલ્હીમાં અત્યાર સુધી 20 લોકો ઓમિક્રોન કેસો નોધાયા છે
શુક્રવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ઓમિક્રોનના 10 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ ઓમિક્રોનના કેસોની સંખ્યા વધીને 20 થઈ ગઈ છે. આમ અત્યાર સુધી ઓમિક્રોનનું સંક્રમણ દેશના 11 રાજ્યોમાં ફેલાયું છે અને સંક્રમિતોની કુલ સંખ્યા 97 પર પહોંચી ગઈ છે.
ગોવામાં ત્રણ કોરોના સંક્રમિત
બ્રિટનથી પરત આવેલા ત્રણ નાગરિકોમાં ગોવામાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ છે. વહીવટીતંત્રે ત્રણેય લોકોને ક્વોરેન્ટાઈન કર્યા છે. ત્રણેય સંક્રમિતોના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.
ગુજરાતમાં પણ ગુરુવારે વધુ એક ઓમિક્રોન કેસ નોંધાયો,
ગુજરાતમાં પણ ગુરુવારે ઓમિક્રોનનો વધુ એક નવો કેસ મળ્યો છે. જેની સાથે રાજ્યમાં ઓમિક્રોન ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 5 થઈ ગઈ છે. ઓમિક્રોન કેસ વડનગરમાં આવ્યો છે, જ્યાં એક મહિલા નવા વેરિએન્ટથી સંક્રમિત મળી આવી છે. આ મહિલા કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતી નથી. પરંતુ તાજેતરમાં મહિલાના સંબંધીઓ ઝિમ્બાબ્વેથી એક પરિવારના નિધનમાં ભાગ લેવા આવ્યાં હતા અને મહિલાને ત્યારે ચેપ લાગ્યો હોવાની સંભાવના છે.
भारत में पिछले 24 घंटों में कोरोना वायरस के 7,447 नए मामले आए, 7,886 रिकवरी हुईं और 391 लोगों की कोरोना से मौत हुई। #COVID19
कुल मामले: 3,47,26,049
सक्रिय मामले: 86,415
कुल रिकवरी: 3,41,62,765
कुल मौतें: 4,76,869
कुल वैक्सीनेशन: 1,35,99,96,267 pic.twitter.com/S6kHNR0MfI
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7447 નવા કેસ નોંધાયા છે. જેમાં 391 લોકોના મોત પણ થયા હતા. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવારે 7886 લોકો સ્વસ્થ થયા અને તેમના ઘરે પરત ફર્યા.