ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભારે હિમસ્ખલનમાં ફસાયેલા 29 લોકોમાંથી 10 લોકોના મોત થયા છે. રેસ્ક્યૂ ઓપરેશનમાં 10 લોકોની લાશ બહાર કાઢવામાં આવી છે જોકે 19 લોકો હજુ પણ ગુમ છે.
શિયાળાની શરુઆત પહેલા ઉત્તરાખંડમાં હિમસ્ખલનની શરુઆત
અત્યાર સુધી 10 લોકોની લાશ મળી, 19 લોકો હજુ પણ લાપત્તા
સેનાએ હેલિકોપ્ટર દ્વારા શરુ કર્યું રેસ્ક્યૂ અભિયાન
શિયાળાના આગમન પહેલા દેવભૂમિ ગણાતા ઉત્તરાખંડમાં કુદરતી કેર શરુ થયો છે. મંગળવારે ઉત્તરકાશીના દ્રૌપદીના દંડા-2 પર્વત શિખર બરફનું ભયાનક તોફાન આવ્યું હતું જેમાં ટ્રેકિંગ માટે આવેલા નહેરુ ઈન્સ્ટીટ્યુટના 29 પર્વતારોહી ફસાયા હતા જેમાઁથી 10 લોકોના મોત થયા છે જ્યારે 19 લોકો હજુ પણ ગુમ છે.
Local administration, SDRF, NDRF, ITBP and Army teams are engaged in relief and rescue operations, says Union Home Minister Amit Shah on 29 trainee mountaineers hit by avalanche in Uttarkashi pic.twitter.com/JpOvkqWKiw
દ્રૌપદીના દંડા-2 પર ટ્રેકિંગ માટે ગઈ હતી નહેરુ ઈન્સ્ટીટ્યુટના 29 પર્વતારોહી
બે દિવસ પહેલા ઉત્તરકાશીના દ્રૌપદીના દંડા-2 પર ટ્રેકિંગ માટે ગયેલા નહેરુ ઈન્સ્ટીટ્યુટના 29 પર્વતારોહી બરફના ભારે તોફાનમાં ફસાયા હતા જે પછી તેમને બચાવી લેવા માટે પ્રશાસન દ્વારા તાબડતોબ રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું જેમાં અત્યાર સુધી 8 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે સાથે 10 લોકોની લાશ પણ બહાર કાઢવામાં આવી છે. હાલમાં સેનાનું રેસ્ક્યૂ અભિયાન ચાલી રહયું છે. સેનાએ આઈટીબીપી સાથે મળીને ફસાયેલા પર્વતારાહીનું રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે. ઈન્ડીયન એરફોર્સ બરફમાં ફસાયેલા પર્વતારોહીને બચાવી લેવા માટે ચીતા હેલિકોપ્ટરને કામે લગાડ્યાં છે.
Ten killed in avalanche in Uttarakhand's Uttarkashi district: Nehru Institute of Mountaineering Principal Amit Bisht
કુલ 29 પર્વતારોહી ફસાયા, 10ની લાશ મળી, 19ની શોધખોળ ચાલુ
ઉત્તરકાશીના દ્રૌપદીના દંડા-2 પર્વત પર આવેલા બરફના ભયાનક તોફાનમાં કુલ 29 પર્વતારોહી ફસાયા હતા જેમાંથી 10 લોકોની લાશ મળી છે જ્યારે 19 લોકોની શોધખોળ ચાલી રહી છે. સેના, એરફોર્સ અને આઈટીબીપીના જવાનો ચીતા હેલિકોપ્ટર અને બીજા સાધનો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહ્યાં છે.
उत्तराखंड के डीजीपी अशोक कुमार ने ANI को बताया कि द्रौपदी के डंडा -2 पर्वत शिखर में हिमस्खलन में फंसे 29 एनआईएम प्रशिक्षुओं में से 8 प्रशिक्षुओं को सुरक्षित बचा लिया गया है; खोज और बचाव के लिए वायुसेना के हेलीकॉप्टर तैनात हैं।
શિયાળાની શરુઆત પહેલા ઉત્તરાખંડમાં આફત
ઉલ્લેખનીય છે કે શિયાળામાં ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષા થતી હોય છે. હજુ તો શિયાળો શરુ પણ થયો નથી ત્યાં મોટી આફત સર્જાઈ છે. જે પર્વતારોહી બરફના તોફાનમાં ફસાયા છે તેઓ તમામ ઉત્તરાખંડના નહેરુ ઈન્સ્ટીટ્યુટના તાલીમાર્થીઓ હતા જેઓ પહાડ પર ટ્રેકિંગ માટે ગયા હતા ત્યારે બરફનું ભયાનક તોફાન આવતા તેઓ બરફમાં ફસાઈ ગયા હતા.