દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે રાયપુર મંડળે 10 મહિનાની બાળકીને રેલવેએ કરૂણાના આધારે નોકરી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે છત્તીસગઢના ઈતિહાસમાં કદાચ પ્રથમ વખત આ ઉંમરની બાળકીને કરૂણાના આધારે આવો પ્રસ્તાવ આપવામાં આવ્યો.
10 મહિનાની બાળકીને રેલવેએ કરૂણાના આધારે નોકરી આપી
આ બાળકીએ માર્ગ દુર્ઘટનામાં પોતાના માં-બાપને ગુમાવ્યાં
બાળકી 18 વર્ષ થયા બાદ રેલવેમાં કામ કરી શકશે
દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે રાયપુર મંડળે ઈતિહાસ રચ્યો
છત્તીસગઢમાં દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે રાયપુર મંડળે અનુકંપા નિયુક્તિના ક્ષેત્રમાં ઈતિહાસ રચ્યો છે. અહીં એક દુર્ઘટનામાં પોતાના માતા-પિતાને ગુમાવનારી 10 મહિનાની બાળકીને રેલવેએ કરૂણાના આધારે નોકરી આપી છે. અધિકારીઓએ આ જાણકારી આપી. તેઓએ જણાવ્યું કે તે 18 વર્ષ થયા બાદ રેલવેમાં કામ કરી શકે છે. તેઓએ જણાવ્યું કે રાજ્યના ઈતિહાસમાં કદાચ પહેલી વખત આ ઉંમરની બાળકીને કરૂણાના આધારે આવો પ્રસ્તાવ આપવામાં આવ્યો. કરૂણાના આધારે નિમણુકનો ઉદ્દેશ્ય મૃત સરકારી કર્મચારીઓના પરિવારોને તાત્કાલિક સહાય આપવાનો છે.
10 મહિનાની બાળકીને નોકરી આપી
દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેએ એક નિવેદનમાં કહ્યું, ચાર જુલાઈએ એસઈસીઆર, રાયપુર રેલવે મંડળના કર્મચારી વિભાગમાં અનુકંપા નિમણુક માટે 10 મહિનાની બાળકીનુ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતુ. બાળકીના પિતા રાજેન્દ્રકુમાર ભિલાઈના એક રેલવે યાર્ડમાં સહાયક તરીકે કાર્યરત હતા. એક જૂને એક માર્ગ દુર્ઘટનામાં તેમની પત્નીની સાથે તેમનુ મોત થયુ હતુ. જો કે, સદનસીબે બાળકી બચી ગઇ હતી.
રજીસ્ટ્રેશન માટે લેવામાં આવ્યાં બાળકીના આંગળીઓના નિશાન
જેમાં કહેવામાં આવ્યું છે, કુમારના પરિવારને રાયપુર રેલવે મંડળ દ્વારા નિયમ મુજબ દરેક શક્ય સહાયતા પ્રદાન કરવામાં આવી છે. અધિકારીઓએ કહ્યું કે તેઓએ રેલવેના રેકોર્ડમાં સત્તાવાર નોંધણી કરાવવા માટે બાળકીના આંગળીના નિશાન લીધા છે. રેલવે અધિકારીઓ મુજબ બાળકી રાધિકાના પિતા રાજેન્દ્ર કુમાર યાદવ પીપી યાર્ડ ભિલાઈમાં સહાયકના પદ પર કાર્યરત હતા. રાજેન્દ્ર ચરોદામાં રેલવે આવાસમાં રહેતા હતા. તેમનુ ઘર હસોદ ક્ષેત્રમાં છે. ઉલ્લેખનીય છે કે, ગત 1 જૂને મંદિર હસોદ તરફથી ભિલાઈ આવતી વખતે મંદિર હસોદની પાસે માર્ગ દુર્ઘટનામાં રાજેન્દ્ર કુમાર અને તેની પત્ની મંજૂ યાદવનુ મોત થયુ હતુ.