ગુજરાતમાંથી 10 લાખ લોકો પરપ્રાંતિય શ્રમિકો પોતાના વતન રવાના થઈ ગયા છે જ્યારે 70 ટકા પરપ્રાંતિયો હજુ વતન જવા માટે રાહ જોઈ રહ્યા છે. દેશભરમાંથી હાલ એક રાજ્યમાં ફસાયેલા લોકો રેલવે, બસ દ્વારા પોત પોતાના વતન તરફ પલાયન કરી રહ્યા છે.
દેશમાં સૌથી મોટુ પલાયન, વતન વાપસી માટે દોડાવી 2050 ટ્રેન
હજુ પણ 70 ટકા લોકો જુએ છે રાહ
ગુજરાતથી 10 લાખ શ્રમિક ગયા વતન
ગુજરાતમાંથી 636 શ્રમિક ટ્રેન રવાના કરવામાં આવી છે. ગુજરાતમાંથી 10 લાખથી વધુ શ્રમિકો વતન ફર્યા છે. રેલવેએ 30 લાખથી વધુ પ્રવાસી શ્રમિક, વિદ્યાર્થી પર્યટકોને ઘરે પહોંચાડ્યા છે. હવે રેલવે દરરોજ 300થી 350 ટ્રેન દોડાવવાની તૈયારી કરી રહ્યું છે.
હજુ પણ 70 ટકા લોકો વતન જવા માટે રાહ જોઈ રહ્યા છે.
કોરોનાના કારણે દેશમાં સૌથી મોટુ પલાયન સામે આવ્યુ છે. ફસાયેલા લોકો માટે અત્યાર સુધી 2050 ટ્રેન દોડાવવામાં આવી છે તેમ છતાં હજુ પણ 70 ટકા લોકો વતન જવા માટે રાહ જોઈ રહ્યા છે.
અન્ય રાજ્યોમાંથી પણ શ્રમિકોનું પલાયન
મહારાષ્ટ્રમાં 20 લાખ શ્રમિકોએ નોંધાવ્યા નામ છે જેમાંથી 5 લાખ વતન પહોંચ્યા છે. જ્યારે દિલ્હીમાં 4 લાખ શ્રમિકોએ નામ નોંધાવ્યા છે. 65 હજારે ટ્રેન પકડી છે. કર્ણાટકથી 1.6 લાખ લોકો સ્પેશિયલ ટ્રેનથી વતન પહોંચ્યા છે. હરિયાણાથી ટ્રેન અને બસ મારફતે 2.8 લાખ લોકો વતન પરત ફર્યા છે. પંજાબથી 2.7 લાખ પ્રવાસી શ્રમિક વતન પરત ફર્યા છે. કેરળથી અત્યાર સુધી 65 હજાર લોકો વતન પહોંચ્યા છે. રાજસ્થાનથી 45 હજાર પ્રવાસી શ્રમિક વતન માટે રવાના થઈ ગયા છે.