કોરોના વાયરસ મહામારી અને બાદમાં આવેલા લૉકડાઉન બાદ દેશભરમાં કારોબાર ઠપ પડ્યો છે. લૉકડાઉન ખુલ્યા બાદ બજાર એકદમ રફ્તાર પકડશે તેની આશા ઓછી હતી. જેના કારણે દેશભરના વેપારીઓએ પ્લાન બનાવ્યો, જેનાથી વ્યાપારીઓ ખુશ છે.
કોરોના બાદ વેપારીઓ માટે પ્લાન
એમેઝોન ફ્લિપકાર્ટને આપશે ટક્કર
વોકલ ફોર લોકલ તરફ એક ડગ
વેપારીઓ માટે કેટ પ્લાન
કેટના રાષ્ટ્રીય અધ્યક્ષ વબીસી ભરતીયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીન ખંડેલવાલે જણાવ્યું કે, કેટનું ઇ કોમર્સ પોર્ટલ ભારતઇમાર્કેટ ડિસેમ્બરમાં લોન્ચ થશે પરંતુ દિવાળી બજારને ધ્યાનમાં રાખીને કેટે ઓગસ્ટમાં જ દેશભરમાં ફેલાયેલા વ્યાપારી સંગઠનોને પ્લાન મોકલ્યો હતો. જેમાં વૉટ્સઍપ પર પોતાના સામાનનું પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન પોતાના ગ્રાહકો, તેમજ અન્ય લોકોને બતાવી શકશે અને ઓનલાઇન ઓર્ડર લઇ શકશે.
સાથે જ પોતાની દુકાનના કર્મચારીઓ દ્વારા ગ્રાહકના ઘર સુધી ડિલીવરી આપવાનુ સજેશન પણ આપ્યુ હતુ. જેનો દેશભરના વેપારીઓએ સ્વિકાર કર્યો હતો અને સોશ્યલ મિડીયા દ્વારા મોટો વ્યાપાર થશે.
કેટની આ યોજના હેઠળ દેશના અલગ અલગ રાજ્યોના શિલ્પકાર, હસ્તકળા, કારીગરો, વગેરેને પણ જોડવામાં આવ્યા છે. જેમની સાથે મળીને વેપારી સંગઠન કેટના બેનર હેઠળ સ્વ-રોજગારના અવસર પ્રદાન કરશે, ભરતિયાઅને ખંડેલવાલે જણાવ્યું કે માત્ર દિલ્હી-એનસીઆરમાં 50 હજારથી વધારે લોકો સોશ્યલ મિડીયા દ્વારા વેપાર કરે છે.
વૉટ્સઍપ અને ફેસબૂકથી થયો વેપાર
સીએટીના પ્રવીણ ખંડેલવાલ મુજબ દિવાળીના આ ઉત્સવપૂર્ણ વાતાવરણમાં માલ, ખોરાક અને કરિયાણા (16.51), કપડાં (15.09), ઇલેક્ટ્રોનિક્સ (11.37), આરોગ્ય (7.60), ઘરની વસ્તુઓ અને સેનિટેશનની વ્યક્તિગત જાળવણી (18.45 ટકા) છે.