ભરૂચમાં ગોઝારો અકસ્માત થયો જેમાં 10થી વધુ લોકો ઘાયલ થયા છે.
નબીપુર ગામ નજીક સર્જાયો અકસ્માત
બસ અને ટ્રક વચ્ચે અકસ્માત.
અકસ્માતમાં 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત
ભરૂચ નબીપુર ગામ નજીક ગોઝારો અકસ્માત સર્જાયો છે જેમાં 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો જેને પગલે પોલીસ અને સ્થાનિકો દોડી આવ્યા હતા અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
ઘાયલ મુસાફરોને 108 મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલાયા છે અને પોલીસે અકસ્માત નોંધી તપાસ હાથ ધરી છે.