કાલુપુરમાં આવેલા ચોખાબજારમાં આવેલી દુકાનોમાં મોડી રાતે આગ લાગી હતી. આગના પગલે ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર આગમાં એક પછી એક 7 દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયરબ્રિગેડ આગ પર કાબૂ મેળવવામાં સફળ થઈ હતી.
અમદાવાદના ચોખા બજારમાં લાગી આગ
ચોખા બજારની 7 જેટલી દુકાનમાં લાગી હતી આગ
ફાયર બિગ્રેડે આગ પર કાબુ મેળવ્યો
અમદાવાદમાં મોડી રાતે ચોખા બજારમાં અચાનક આગ લાગી હતી. રાતે 1.30 વાગ્યે એક દુકાનમાં આગ લાગ્યા બાદ બાજુમાં આવેલી એક પછી એક એમ 7 જેટલી દુકાનોમાં આગ ફેલાઈ હતી.આ આગે ધીરેધીરે મોટું સ્વરૂપ ધારણ કરતા એક બાદ એક એમ દુકાનો આગની લપેટમાં આવી ગઇ. આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સદનસીબે હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
આગના કારણે કરિયાણાની અને ફ્રાયફ્રુટની દુકાનો આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. હજુ સુધી પણ આ વિકરાળ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગતાં જ લોકોની ભીડ જમા થઈ હતી અને સાથે જ વાતાવરણમાં પણ ફેરફાર જોવા મળ્યો હતો.