પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં એક રવિવાર મોડી રાત્રે મોટી દુર્ઘટના ઘટી છે.આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
પશ્ચિમ બંગાળથી મોટા સમાચાર આવી રહ્યા છે સામે
આ દુર્ઘટના રાત્રે 12 વાગ્યાની આસ-પાસ થઈ હતી
આ ઘટના બાદ વાહનચાલક ફરાર થઈ ગયો
પશ્ચિમ બંગાળથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં કૂચ બિહારમાં મુસાફરોને લઈ જતી પીકઅપ વાનમાં વીજ કરંટ લાગવાથી 10 કાવડિયાના મોત થયા છે. ઘટના પછી તરત જ, મુસાફરોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, મહત્વનું છે કે, વાનમાં સવાર 27 લોકોમાંથી 17 લોકોને સારવાર માટે જલપાઈગુડીની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર વાનમાં ડીજે સિસ્ટમના જનરેટરના વાયરિંગને કારણે કરંટ ફેલાયો હતો.
कूचबिहार में यात्रा के दौरान उसमें करंट लगने से 10 लोगों की मृत्यु हुई है अन्य लोग घायल हैं। प्रारंभिक जांच से पता चलता है कि यह जनरेटर (DJ सिस्टम) की वायरिंग के कारण हो सकता है जो वाहन के पिछले हिस्से में लगाया गया था: माथाभांगा ASP, पश्चिम बंगाल pic.twitter.com/BKJtTUxGgh
આ અંગે પોલીસના સૂત્રોઓએ જણાવ્યું હતું કે, “આ અકસ્માતર રવિવારે મોડી રાત્રે મેખલીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ધારલા બ્રિજ પાસે બન્યો હતો. જ્યાં જલ્પેશ જઈ રહેલા મુસાફરોને લઈ જતી એક પીકઅપ વાન કરંટથી અથડાઈ ગઈ. પ્રાથમિક તપાસ જણાવા મળ્યું છે કે,આ દુર્ઘટના જનરેટર (ડીજે સિસ્ટમ) ના વાયરિંગને કારણે હોઈ શકે છે, જે વાહનના પાછળના ભાગમાં લગાડવામાં આવ્યુ હતું.
આ ઘટના બાદ વાહનચાલક ફરાર થઈ ગયો
પોલીસ અધિકારીએ જણાવ્યું કે સારવાર દરમિયાન ડોક્ટરોએ 10 લોકોને મૃત જાહેર કર્યા. તમામ મુસાફરો સીતલકુચી પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી છે અને તેમના પરિવારજનોને આ દુ:ખદ ઘટનાની જાણ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે વાહનને જપ્ત કરવામાં આવ્યું છે, પરંતુ ચાલક ફરાર થઈ ગયો છે. વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર છે. પોલીસ રાહત અને જરૂરી કોઈપણ સહાય માટે સંકલન કરી રહી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.