ઉત્તરપ્રદેશના કાનપુરમાં અત્યાર સુધી ઝીંકા વાયરસના 10 કેસ નોંધાયા છે. જેના કારણે પ્રશાસનમાં ખળભળાટ મચી ઉઠ્યો છે. જેથી હાલ સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
કાનપુરમાં ઝીંકા વાયરસને કારણે ખળભળાટ
ગત રવિવારે 6 નવા કેસ નોંઘાતા પ્રશાસન હરકતમાં
મુખ્યમંત્રી યોગીએ વધારે ટેસ્ટ કરવા માટે આપ્યા આદેશ
ઉત્તરપ્રદેશમા કાનપુરમાં દિવસેને દિવસે ઝીંકા વાયરસનું પ્રમાણ વધી રહ્યું છે. ગત રવિવારે અહિયા બીજા 6 દર્દીઓ સામે આવ્યા બાદ જિલ્લામાં હડકંપ મચી ઉઠ્યો છે. અત્યાર સુધીમાં અહિયા 10 લોકો ઝીકા વાયરસની ઝપેટમાં આવી ગયા છે. એરફોર્સનો કર્મચારી ઝીંકા વાયરસનો ભોગ બન્યા બાદ સામાન્ય લોકો પણ અહિયા ઝીંકા વાયરસનો ભોગ બની રહ્યા છે.
મુખ્ય સચિવે બોલાવી બેઠક
નવા 6 દર્દીઓમાં ઝીકા વાયરસ ફેલાયા બાદ મુખ્ય સચિવે તાબડતોબ બેઠક બોલાવી હતી. આપને જણાવી દીએ કે એરફોર્સ સ્ટેશન સિવાય પણ 9 રહેણાંક વિસ્તાર એવા છે કે જ્યા ઝીંકા વાયરસની ઝપેટમાં લોકો આવ્યા છે. અત્યાર સુધીમાં જે 10 લોકો સંક્ર્મણનો ભોગ બન્યા છે. તેમા 3 એરફોર્સ કર્મચારી છે. જ્યારે 7 લોકો સામાન્ય નાગરીક છે. \
સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલ લેવાયા
10 દર્દીઓમાં ઝીંકા વાયરસ જોવા મળતા સ્વાસ્થ્ય વિભાગની ટીમ તેમજ પ્રશાસન હરકતમાં આવી ગયું છે. સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલ પણ સ્વાસ્થ્ય વિભાગની ટીમ દ્વારા લેવામાં આવ્યા છે.
સર્વિલાંસ સિસ્ટમ સક્રિય કરવાના આદેશ
બીજી તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ઝીકા વાયરસ સંક્રમણને ધ્યાનમાં રાખતા દરેક સ્તર પર તૈયારી રાખવાના આદેશ આપ્યા છે. સાથેજ તેમણે દર્દીઓના ઉપચાર માટે સર્વિલાંસ સિસ્ટમ ને સક્રિય કરવા આદેશ આપ્યા છે. સાથેજ તેમણે કહ્યું કે વધુમાં વધું ટેસ્ટ કરવામાં આવે જેથી દર્દીઓને સમયસર સારવાર મળી શકે.