નાણામંત્રી નિર્મલ સીતારામણ દ્વારા હેલ્થને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં તેમણે દેશને ભરોષો આપ્યો છે કે દેશમાં ડૉક્ટરોની અછતને પહોંચી વળવા પર ધ્યાન આપીશે. આયુષ્માન કાર્ડમાં થતાં ભ્રષ્ટાચારને પહોંચી ન વળનારી સરકાર આયુષ્માન યોજના હેઠળ નવી હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી છે.
PPP મોડેલથી દેશમાં નવી હોસ્પિટલો બનશે
આયુષ્યમાન યોજના અંતર્ગત હોસ્પિટલો બનાવાશે
હેલ્થ સેક્ટર માટે 69 હજાર કરોડનો પ્રસ્તાવ
બજેટમાં આરોગ્ય ક્ષેત્રે મોટી જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હેલ્થ સેક્ટર માટે 69 હજાર કરોડનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. તેને 69 હજાર કરોડ ઈન્ડિયા મૂવમેન્ટને વધારા માટે સરકારનો અક્શન પ્લાન. જેથી T-2, T-3શહેરોને મદદ પહોંચી શકે. આયુષ્યમાન યોજના સાથે 20 હજાર હોસ્પિટલો જોડાઈ. તેમજ PPP મોડેલથી દેશમાં નવી હોસ્પિટલો બનશે. આયુષ્યમાન યોજના અંતર્ગત હોસ્પિટલો બનાવાશે. ટીબીને હરાવવા માટે મુહિમ ચલાવવામાં આવશે. ‘ટીબી હરાઓ દેશ બચાવો ’ સ્લોગન સાથે આ મુહિમ ચલાવી 2025માં દેશે આનાથી મુક્ત કરાશે. દેશ આ મામલે જીતશેની મુહિમ ચલાવાશે. મેડિકલ ઉપકરણનો ટેક્સ હોસ્પિટલ વિકાસમાં વપરાશે. જિલ્લાની હોસ્પિટલોમાં મેડિકલ યુનિવર્સિટીનો પ્રસ્તાવ મુકવામાં આવશે. ડૉકટરોની અછત પુરી કરવા પર સરકારનું ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.