મહેસાણામાં 2017માં મંજૂરી વગર રેલી યોજવા મામલે સેશન્સ કોર્ટે જીગ્નેશ મેવાણી, રેશમા પટેલ સહિત 10 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
મહેસાણામાં 2017માં મંજૂરી વગર રેલી યોજવાનો મામલો
જીગ્નેશ મેવાણી સહિત 10 આરોપીઓને સંભળાવી હતી સજા
કોર્ટે 10 આરોપીઓને 3 મહિનાની જેલની ફટકારી હતી સજા
મહેસાણા સેશન્સ કોર્ટે નીચલી કોર્ટનો હુકમ રદ કર્યો
મહેસાણાથી ધાનેરા સુધી વર્ષ 2017માં કરેલી આઝાદી કુચ મામલે જીગ્નેશ મેવાણી, સુબોધ પરમાર, રેશમા પટેલ, કૌશિક પરમાર સહિતના દોષિતોને મહેસાણા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસના 3 માસની સજાની સામે સેશન્સ કોર્ટમાં કરેલ અપીલમાં તમામને દોષિતોને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે.
મેજીસ્ટ્રેટની કોર્ટે ફટકારી હતી 3 માસની સજા
2017માં ઉનાકાંડની વરસી નિમિત્તે બનાસકાંઠાના દલિત પરિવારને ફાળવેલી જમીનનો પ્રત્યક્ષ કબ્જો સોંપવામાં આવે એ હેતુથી મહેસાણાથી ધાનેરા સુધી કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા 'આઝાદી કુચ'ના નામથી રેલી યોજવામાં આવી હતી. જુલાઈ 2017માં મંજૂરી વગર રેલી યોજવા મામલે જીગ્નેશ મેવાણી, રેશમા પટેલ સહિત 10 લોકોને મહેસાણા ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટે 3 માસની જેલ અને 1000 રૂપિયાના દંડની સજા ફરમાવવામાં આવી હતી.
સેશન્સ કોર્ટે નીચલી કોર્ટનો હુકમ રદ કર્યો
જે બાદ જીગ્નેશ મેવાણી સહિતના તમામ આરોપીઓએ સજા માફીની માંગ કરતી અરજી સેશન્સ કોર્ટમાં કરી હતી. મહેસાણા સેશન્સ કોર્ટે તમામ આરોપીઓની અરજી ગ્રાહ્ય રાખી હતી. આજે મહેસાણા સેશન્સ કોર્ટે નીચલી કોર્ટનો હુકમ રદ કર્યો છે. સેશન્સ કોર્ટ દ્વારા જીગ્નેશ મેવાણી, સુબોધ પરમાર, રેશ્મા પટેલ સહિત તમામ દોષિતોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.