ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થયેલા ટ્રેડ કરારને કારણે ફક્ત સરકારને જ નહીં પરંતુ લોકોને પણ ફાયદો થવાનો છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થયો ટ્રેડ ડીલ
કોમર્સ મિનિસ્ટર ગોયેલે કહ્યું પાંચ વર્ષમાં ભારતમાં 10 લાખ નવી નોકરીઓ આવશે
આઈટી સેક્ટરથી માંડીની બીજા ક્ષેત્રમાં થશે નોકરીઓનું સર્જન
ઈન્ડીયન શેફ અને યોગા ઈન્સ્ટ્રક્ટર માટે નવી તકોનું દ્વાર ખુલશે
ઓસ્ટ્રેલિયા સાથે થયેલા કરારને કારણે ફક્ત સરકારને જ નહીં પરંતુ લોકોને પણ મોટો ફાયદો થવાનો છે. આ કરારને કારણે ભારતમાં 10 લાખ નવી નોકરીઓની સાથે ઈન્ડીયન શેફ અને યોગા શિક્ષક માટે પણ નવી તકોનું સર્જન કરશે. ઓસ્ટ્રેલિયાના વેપાર મિનિસ્ટર સાથે થયેલા વેપાર કરાર બાદ કેન્દ્રીય કોમર્સ મિનિસ્ટર પીષુય ગોયેલે આ જાહેરાત કરી હતી.
India-Australia Trade Pact will create 1 million jobs over next 5 years, says Piyush Goyal
ગોયેલે કહ્યું કે ઓસ્ટ્રેલિયા સાથે થયેલા કરારથી ભારતમાં આગામી પાંચ વર્ષમાં 10 લાખ નવી નોકરીઓનું સર્જન થશે. તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયા સાથે થયેલા નવા વેપાર કરારને કારણે હાલના દ્વિપક્ષીય વેપાર 27 બિલિયન ડોલરથી વધીને 45-50 બિલિયન ડોલર થવાની ધારણા છે અને તેને કારણે ભારતમાં આગામી ચારથી પાંચ વર્ષમાં 1 મિલિયન (10 લાખ) નવી નોકરીઓનું સર્જન થશે.
#WATCH | Following the virtual signing of India-Australia Economic Cooperation & Trade Agreement, Union Min Piyush Goyal addresses a PC: says, "We expect 1 mn jobs creation in India in next 4-5 yrs. A number of new opportunities will open for Indian chefs & Yoga instructors..." pic.twitter.com/fk6YFwqxbb
કયા સેક્ટરમાં નોકરીનું સર્જન થશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થયેલા વેપાર કરારને કારણે ભારતના આઈટી સેક્ટરથી માંડીને વેપાર, કોમર્સ,પ્રવાસન ઉદ્યોગમાં નોકરીઓની ભરમાર સર્જાશે.
#IndAusECTA will create more opportunities, increase standard of living and enhance welfare of our people.
We expect at least 1 million jobs to be created in India in the next 5 years: @PiyushGoyal
— Piyush Goyal Office (@PiyushGoyalOffc) April 2, 2022
ઈન્ડીયન શેફ અને યોગા ઈન્સ્ટ્રક્ટર માટે નવી તકોનું દ્વાર ખુલશે
ગોયેલે એવું પણ કહ્યું કે આ કરારને કારણે ઘણી તકોનું સર્જન થશે. આપણા લોકોના કલ્યાણ અને જીવનશૈલીમાં સુધારો થશે.તેમણે એવું પણ કહ્યું કે ઈન્ડીયન શેફ અને યોગા ઈન્સ્ટ્રક્ટર માટે નવી તકોનું દ્વાર ખુલશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થયો ટ્રેડ ડીલ
ભારત-ઓસ્ટ્રેલિયા આર્થિક સહયોગ અને વેપારને લઈને વર્ચુઅલી કરાર બાદ પ્રધાનમંત્રી મોદીએ આજે શનિવારે કહ્યું કે, આટલા ટૂંકા સમયમાં આટલા મહત્વના કરાર પર સહમતી બનવી બંને દેશો વચ્ચે કેટલો વિશ્વાસ છે, તે દર્શાવે છે. આ અમારા દ્વિપક્ષીય સંબંધો માટે એક ઐતિહાસિક ક્ષણ છે. તેમણે એવું પણ કહ્યું કે, ભારત ઓસ્ટ્રેલિયાના આ સંબંધો મિત્રતાનો સ્તંભ છે. આ એગ્રીમેંટ અમારી વચ્ચે વિદ્યાર્થીઓ, પ્રોફેસનલ્સ અને પર્યટકોના આદન પ્રદાનને સરળ બનાવશે, જેનાથી આ સંબંધો વધારે મજબૂત બનશે.
દ્વિપક્ષીય સંબંધો માટે ઐતિહાસિક ક્ષણ
તેમણે કહ્યુ કે, ઓછા સમયમાં આટલા મહત્વના કરાર પર સહમતી બનવી તે દર્શાવે છે કે, બંને દેશો વચ્ચે કેટલો આપસી વિશ્વાસ બનેલો છે. આ અમારા દ્વિપક્ષીય સંબંધો માટે સાચ્ચે જ એક ઐતિહાસિક ક્ષણ છે. તેમણે આગળ કહ્યું કે, ભારત-ઓસ્ટ્રેલિયાના આ સંબંધો મિત્રતાનો સ્તંભ છે. આ કરાર અમારી વચ્ચે સ્ટૂડંટ, પ્રોફેસનલ્સ અને પર્યટકોનું આદાન-પ્રદાન સરળ બનાવશે. જેનાથી સંબંધો વધારે મજબૂત થશે.