દેશની સૌથી મોટી બેંક એસબીઆઇના વ્યાજદરોમાં લઇને નવા નિયમ લાગૂ થવાના છે. આ ફેરફાર 1 મે થી થવાના છે.
આ ફેરફારની અસર એસબીઆઇના 40 કરોડથી વધારે ગ્રાહકો પર પડે એવી શક્યતા છે. આજે અમે આ રિપોર્ટમાં મોટા ફેરફાર માટે જણાવીશું.
વાસ્તવમાં SBIએ પોતાના ડિપૉઝીટ અને લોનના વ્યાજ દરો RBIની બેંચમાર્ક દરથી જોડી દીધો છે. એનો અર્થ એવો થયો કે હવે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાના રેપો રેટમાં ફેરફાર થવા પર બેંકની જમા અને લોનના દરો પર પણ અસર થશે.
જો કે 1 લાખ રૂપિયાથી વધારે જમા અને લોનના વ્યાજ દરો પર જ આ નિયમ લાગૂ થશે. આ નવી વ્યવસ્થા 1 મે થી લાગૂ થવાની છે. આ નવા નિયમના લાગૂ થયા બાદ ગ્રાહકોને પહેલાની સરખામણીમાં બચત ખાતા પર ઓછું વ્યાજ મળશે. એની પર એસબીઆઇના આશરે 95 ટકા ગ્રાહકો પર એની અસર પડશે.
નવો નિયમ લાગૂ થયા બાદ SBIના ગ્રાહકોને 1 લાખ રૂપિયા સુધી રાખવા પર પહેલાની જેમ 3.5 ટકાનું વ્યાજ મળશે. જ્યારે ખાતામાં એક લાખ રૂપિયાથી વધારેની રકમ હોવા પર બચત ખાતા પર 3.25 ટકા વ્યાજ મળશે.
જણાવી દઇએ કે RBIની તરફથી તાજેતરમાં વ્યાજદરોમાં 0.25 ટકાના કાપ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એસબીઆઇ સહિત ઘણા બેંકોની હોમ લોન અને ઑટો લોનના વ્યાજ દરોમાં કાપ કર્યો છે. એસબીઆઇએ લોનના વ્યાજદરોમાં 0.05 ટકાનો મામૂલી કાપ કર્યો છે.
સંશોધિત દર વાળા 30 લાખ રૂપિયા સુધીની હોમ લોન પર પણ એસબીઆઇએ વ્યાજ દરમાં 0.10 ટકાનો કાપ કર્યો છે. એની સાથે હવે 30 લાખ રૂપિયાથી ઓછી હોમ લોન પર નવો વ્યાજદર 8.60 થી 8.90 ટકા ગશે જે અત્યાર સુધી 8.70 થી 9 ટકા છે.